પવિત્ર અમરનાથ ગુફાની નજીક શુક્રવારે સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના બની છે. અત્યાર સુધીમાં 12 શ્રદ્ધાળુઓના મૃત્યુ થઇ ચૂક્યા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા દર્શાવાઈ રહી છે.
અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટ્યું
વાદળ ફાટ્યા બાદ પાણીનો પ્રવાહ ટેન્ટની વચ્ચે વહેવા લાગ્યો હતો
જેની ઝપેટમાં અનેક લોકો આવી ગયા હતા
અમરનાથ ગુફાની નજીક મોટી દુર્ઘટના બની છે. જેમાં વાદળ ફાટવાથી 12 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 40 લોકો ગુમ છે. તો NDRF-ITBP રેસ્ક્યૂમાં લાગી છે. તો અમરનાથ ગુફાની પાસે કેમ ફાટ્યું વાદળ, જાણો કારણ ?
અંતે અમરનાથ ગુફાની પાસે કેમ ફાટ્યું વાદળ
માહિતી અનુસાર, NDRFએ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું, જેનાથી કેટલાક લોકોને બચાવી પણ લેવાયા છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે. વાદળ ફાટ્યા બાદ ઝડપથી ફ્લેશ ફ્લડ આવ્યુ, જે ટેન્ટ સિટીમાં ઘુસ્યું હતું. મામલો એ છે કે જો વાદળ ફાટવાના સમાચાર પહાડી વિસ્તારોમાં જ કેમ આવે છે ? શું કારણ હોય છે જેનાથી વાદળો પહાડો પર વ ધુ ફાટે છે ? આવો સમજીએ આ પ્રાકૃતિક આફતની સિસ્ટમને...
અચાનક ફાટતા વાદળોને પ્રેગ્નેન્ટ વાદળ પણ કહે છે
વાદળ ફાટવાનો મતલબ એ નથી થતો કે વાદળોના ટુકડા થઇ ગયા હોય. હવામાન વૈજ્ઞાનિકોના અનુસાર, જ્યારે એક જગ્યા પર અચાનક એકસાથે ભારે વરસાદ પડી જાય છે તો તેને વાદળ ફાટ્યું કહેવાય છે. તમે આને એવી રીતે સમજી શકો છો કે જો પાણીથી ભરેલો કોઈ ફૂગ્ગાને ફોડી દેવામાં આવે તો બધુ પાણી એક જ જગ્યાએ ઝડપથી નીચે પડવા લાગે છે. એવી જ રીતે વાદળ ફાટવાથી પાણીથી ભરેલા વાદળોના છાંટા ઝડપથી અચાનક જમીન પર પડે છે. આને ફ્લેશ ફ્લડ અથવા ક્લાઉડ બર્સ્ટ પણ કહે છે. અચાનક ઝડપથી ફાટીને વરસાદ કરનારા વાદળોને પ્રેન્ગનેન્ટ ક્લાઉડ પણ કહે છે.
અચાનક કેમ ફાટે છે વાદળ ?
ક્યાંય પણ વાદળ ફાટવાની ઘટના બને છે જ્યારે ભેજ વાળા વાદળ એક જગ્યાએ અટકી જાય છે. ત્યારે, પાણીના છાંટા એકબીજાને મળી જાય છે. છાટાના ભારથી વાદળો વધુ ઘાટા બની જાય છે. પછી અચાનક વરસાદ શરૂ થઇ જાય છે. વાદળ ફાટવા પર 100 મિમી પ્રતિ કલાકની ઝડપથી વરસાદ થઇ શકે છે.
પહાડો પર વધુ વાદળો ફાટે છે ?
પાણીથી ભરેલા વાદળ પહાડી વિસ્તારોમાં ફંસાઇ જાય છે. પહાડોની ઉંચાઇના કારણે વાદળ આગળ નથી વધી શકતા. પછી અચાનક જ એક જ જગ્યાએ ભારે વરસાદ થવા લાગે છે. થોડી સેકન્ડમાં 2 સેન્ટીમીટરથી વધુ વરસાદ થઇ જાય છે. પહાડો પર સામાન્ય રીતે 15 કિમી ઉંચાઈ પર વાદળ ફાટે છે. જોકે, વાદળ ફાટવાનો વિસ્તાર એક વર્ગ કિમીથી વધુ ક્યારે પણ રેકોર્ડ નથી કરાયો. પહાડો પર વાદળો ફાટવાથી એટલો ભારે વરસાદ થાય છે જે પુર બની જાય છે. પહાડો પર પાણી અટકતુ નથી એટલા માટે ઝડપથી પાણી નીચે આવે છે. નીચે આવતા પાણી પોતાની સાથે માટી, કાદવ અને પથ્થરોના ટુકડા લઇ આવે છે. તેની ગતિ એટલી ઝડપી હોય છે કે તેની સામે આવનારી વસ્તુઓ નાશ થઇ જાય છે.