અમરિન્દર સિંઘે કહ્યું કે મેં મારી સ્થિતિ સાફ કરી દીધી છે કે હું અપમાન સહન કરીશ નહીં અને જે રીતે મારા સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તે સારો નથી. અમરિન્દરે વધુ એક એલાન કરતાં કહ્યું કે તે ભાજપ જોઇન કરી રહ્યા નથી.
હવે હું કોંગ્રેેસમાંથી ન રહી શકું-કેપ્ટન
કેપ્ટનને ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ કરી છે મુલાકાત
NSA અજીત ડોભાલ સાથે પણ કેપ્ટને કરી છે મુલાકાત
PM મોદી સાથે પણ કેપ્ટન અમરિંદર કરી શકે છે મુલાકાત
પંજાબના રાજકારણમાં જે હડકંપ મચી ઉઠ્યો છે તે સમાપ્ત થવાનું નામજ નથી લઈ રહ્યો. આજે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે હવે તેઓ કોંગ્રેસમાં નથી રહેવાના. સાતેજ તેમણે કહ્યું કે મારી સ્થિતી મે કહી દીધી છે કે હવે હું અપમાન સહન નહી કરી શકું. ઉપરાંત તેમણે કહ્યું કે જે રીતનું મારી સાતે વર્તન કરવામાં આવ્યું છે તે યોગ્ય ન હતું. અમરિન્દર સિંઘે કહ્યું કે તે ભલે અત્યારે પંજાબનાં મુખ્યમંત્રી નથી પરંતુ પંજાબ આજે પણ તેમનું જ છે એટલે અમિત શાહ તથા NSA ડોભાલ સાથે બેઠક કરી હતી.
આજે કેપ્ટન PM મોદીને મળે તેવી શક્યતા
અમરિંદર સિંહને લઈને પંજાબમાં રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. કેપ્ટન અમરિંદ સિહ હવે PM મોદીને મળી શકે છે. તાજેતરમાજ કેપ્ટન અમરિંદર સિંહે NSA અજીત ડોભાલ સાથે વાત કરી હતી. જેમા તેમની સાથેની મુલાકાત બાદ અનેક અટકળો તેજ થઈ છે. સાથેજ રાજકારણમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કેપ્ટન ભાજપમાં ગમે ત્યારે જોડાઈ શકે છે.
પંજાબના રાજકારણમાં હડકંપ
આપને જણાવી દઈએ કે કે ગઈકાલે કેપ્ટન અમરિંદર સિંહે અમિતશાહ સાથે મુલાકાત લીધી હતી ત્યારબાદથી પંજાબના રાજકારણમાં હડકંપ મચી ઉઠ્યો છે. આપને જણાવી દઈએ કે એક સમયે કેપ્ટન અમરિંદર સિંહે નવજોત સિંહ સિદ્ધુની દેશ માટે ખતરો કહ્યું હતું. સાથેજ તેમણે કહ્યું કે સિદ્ધુ પાકિસ્તાનના PM ઈમરાન ખાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર છે.
પંજાબમાં ચૂંટણીને માત્ર 5 મહિના બાકી
ઉલ્લેખનીય છે કે પંજાબમાં વિધાનસભા ચૂંટણીના ફક્ત પાંચ મહિના બાકી છે. ત્યારે આવા સમયે કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપવાની ફરજ પડી હતી. જેને લઈને તેઓ ઘણા નારાજ છે.સાથેજ ભાજપને પણ પંજાબમાં નવા ચહેરાની જરૂર છે. ઉપરાંત કેપ્ટન અમરિંદર સિંહ પણ પંજાબમાં લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા છે. જેથી આવા માહોલમાં ભાજપ કેપ્ટન સાથે મળીને મોટો દાવ રમી શકે છે.