રાજ્યપાલને રાજીનામું સોંપ્યા બાદ અમરિન્દરે પત્રકાર પરિષદને સંબોધી હતી. પત્રકાર પરિષદમાં અમરિન્દરે ભાવુક બન્યા હતા. તેમણે કહ્યું કે મને શંકાની નજરે જોવામાં આવ્યો, સમયે આવ્યે નિર્ણય કરીશ.
કોંગ્રેસનો ધારાસભ્ય છું, પાર્ટી માટે કામ કરતો રહીશ-અમરિન્દર
પૂર્વ સીએમ અમરિન્દરે કહ્યું કે હું કોંગ્રેસનો ધારાસભ્ય છું, પાર્ટી માટે કામ કરતો રહીશ. તેમણે કહ્યું કે મને લાગી રહ્યું છે મારો પર ભરોસો નથી. મેં હાઈકમાન્ડના આદેશનું પાલન કર્યું છે.
मैंने मुख्यमंत्री पद से इस्तीफा दे दिया है। उन्हें(कांग्रेस अध्यक्ष) जिसपर विश्वास है उसे मुख्यमंत्री बनाए: कैप्टन अमरिंदर सिंह pic.twitter.com/23Ei4KEwEw
— ANI_HindiNews (@AHindinews) September 18, 2021
અમરિન્દરે કહ્યું કે મેં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને ફોન કરીને જણાવ્યું કે આવા અપમાન સાથે હું પાર્ટીમાં રહી શકું તેમ નથી. હાઈકમાન્ડે મને રાજીનામું આપવાનું જણાવ્યું હતું. મેં પાર્ટી અધ્યક્ષના આદેશનું પાલન કર્યું છે.
અમરિન્દરે કહ્યું કે હું હાલમાં તો કોંગ્રેસનો હિસ્સો છું, મારી પાસે ભવિષ્યની રાજનીતિનો વિકલ્પ છે. હું પછીથી કોઈ નિર્ણય લઈશ.
તમામ મંત્રીઓએ આપ્યા રાજીનામા
અમરિન્દરની સાથે તેમના સમર્થક તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે.
અમરિન્દરે કહ્યું કે કોંગ્રેસ હાઈકમાન્ડની વાતચીતની રીતથી અપમાનિત થઈ રહ્યાંનું લાગી રહ્યું છે. મેં આજે સવાર કોંગ્રેસ અધ્યક્ષ સાથે વાત કરી. તેમને મેં કહ્યં કે હું આજે રાજીનામું આપી દઈશ.. તાજેતરમાં મહિનામાં ત્રીજી વાર ધારાસભ્યો સાથે મુલાકાત થઈ છે. આ કારણે મેં મુખ્યમંત્રી પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
I feel humiliated by the way talks transpired. I spoke with the Congress president this morning, told them that I will be resigning today... This is the third time in recent months in meeting MLAs... which is why I decided to quit..:Amarinder Singh after resigning as Punjab CM pic.twitter.com/rFojYU51or
જેમને મરજી હોય એમને CM બનાવો, મારા પાસે ઘણા વિકલ્પ છે. તેમણે કહ્યું કે રાજકારણમાં મને 52 વર્ષ થઈ ગયા, હું મારા સમર્થકો સાથે વાતચીત કરીને નિર્ણય કરીશ .
ઉથલપાથલ બાદ અમરિન્દરે મુખ્યમંત્રી પદેથી રાજીમાનું આપ્યું
પંજાબના રાજકારણમાં ઘણા દિવસની ઉથલપાથલ બાદ આખરે સીએમ કેપ્ટન અમરિન્દરે મુખ્યમંત્રી પદેથી રાજીમાનું આપી દીધું છે. કેપ્ટન લગભગ સાડા ચાર વાગ્યે રાજભવન પહોંચ્યાં અને રાજ્યપાલને રાજીનામું સોંપીને રાજભવનની બહાર પત્રકાર પરીષદને સંબોધી હતી.
કેપ્ટને કહ્યું કે વારંવાર ધારાસભ્યોની બેઠક બોલાવાઈ રહી છે મને લાગે છે કે હાઈકમાન્ડને શંકા છે કે રાજ્યમાં સરકાર ચાલી રહી નથી તેને કારણે વારંવાર ધારાસભ્યોની બેઠક બોલાવાઈ રહી છે.