પંજાબના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સિનિયર નેતા કેપ્ટન અમરિન્દરની અમિત શાહ સાથેની મુલાકાત બાદ રાજકારણમાં જોરદાર અટકળબાજીનો દોર શરુ થયો છે.
કેપ્ટન અમરિન્દર શાહને મળવા તેમના ઘેર પહોંચ્યા, 45 મિનિટ વાતચીત થઈ
અમરિન્દર ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતા
ભાજપ જોડાય તો મોદી સરકારમાં મંત્રી બનાવાઈ શકે છે
કેપ્ટનને કૃષિ મંત્રી બનાવાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે
કેપ્ટન અમરિન્દર અમિત શાહને તેમના ઘેર જઈને લગભગ 45 મિનિટ સુધી મળતા રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.
સૂત્રોનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જશે. ભાજપમાં જોડાવાને પગલે તેમને રાજ્યસભા સાંસદ બનાવીને કોઈ મોટા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે. કેપ્ટનને કૃષિ મંત્રી બનાવાય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. ખેડૂતોને મનાવવા ભાજપ કેપ્ટનને માથે જવાબદારી ઢોળી શકે છે તેવું પણ મનાઈ રહ્યું છે. જોકે આ બધી અટકળો છે.
કેપ્ટનનો યોગ્ય ઉપયોગ કરવાની રણનીતિ પર વિચાર-ભાજપના સૂત્રો
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી કેપ્ટનનો યોગ્ય ઉપયોગ કરવાની રણનીતિ પર વિચાર કરી રહી છે. તેમને પાર્ટીમાં સામેલ કરાવીને એક ચહેરા તરીકે રજૂ કરવાનું યોગ્ય રહેશે કે કેપ્ટન અમરિન્દરના નેતૃત્વમાં એક રાજકીય પક્ષની રચના થશે અને ભાજપ બહારથી તેને ટેકો આપે તે સંભાવના પર પણ વિચાર થઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
કેપ્ટન અને શાહ વચ્ચે ચાલી 45 મિનિટની ચર્ચા
પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર અમિત શાહને મળવા તેમના ઘેર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે લગભગ 45 મિનિટ સુધી ચર્ચા કરી હતી. જોકે ગઈકાલે જ કેપ્ટને કહ્યું હતું કે તે કોઈ રાજકારણીને નહીં મળે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહ ગઈકાલે દિલ્હી પહોંચ્યા હતા. જોકે ગઈકાલે તેમણે મીડિયા સાથે વાત કરી હતી અને દાવો કર્યો હતો કે તેમનો કોઈ રાજકીય કાર્યક્રમ નથી.
કેપ્ટને કહ્યું હતું કે આવતીકાલે ચંદીગઢથી દિલ્હી પહોંચું ત્યારે અહીં કોને મળવાનું છે તે પ્રશ્ન પર કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું હતું કે, 'હું અહીં ઘરે જઈશ. હું માલ એકઠો કરીને પંજાબ જઈશ."પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, 'અહીં હું કોઈ રાજકીય નેતાને નહીં મળીશ. કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ નથી. હું કપૂરથલા ઘર ખાલી કરવા આવ્યો છું જે સીએમનું ઘર છે.