પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ આજે દિલ્હી જશે. જ્યા તેઓ અમિતશાહ અને જે પી નડ્ડા સાથે મુલાકાત લેશે. સાથેજ તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી આજે દિલ્હી જશે
અમિતશાહ અને જેપી નડ્ડા સાથે લેશે મુલાકાત
અમરિંદર સિહ ભાજપમાં જોડાય તેવી શક્યતા
પંજાબના રાજકારણમાં હવે ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ દિલ્હીમાં જઈ શકે છે. જ્યા તેઓ સાજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત લેવાના છે. જેના કારણે એવી ચર્ચાએ જોર પક્ડયું છે અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ શકે છે.
સાજે લેશે મુલાકાત
બપોરના 3.30 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે અને સાંજના સમયે તેઓ અમિત શાહ અને જેપી નડ્ડાને મળી શકે છે. છેલ્લા ઘણા સમયથી સિદ્ધુ સાથે કેપ્ટન અમરિંદર સિંહનો વિવાદ ચાલી રહ્યો હતો. જેને લઇને તેમણે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને હાલ કોંગ્રેસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા છે.
સિદ્ધુ સામે મજબૂત દાવેદાર ઉતારીશ: કેપ્ટન
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અમરિંદર સિંહે કહ્યું કે તેમનું ઘણું અપમાન થયું છે. જેને લઈને તેમણે મુખ્યમંત્રીનું પદ છોડ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે જો પંજાબમાં 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તોપણ તે સિદ્ધુને મુખ્યમંત્રી નહી બનવા દે અને તેની સામે મજબૂત દાવેદાર ઉતારશે.
મુખ્યમંત્રી ચન્નીએ કેપ્ટનના મંત્રીઓને હટાવ્યા
ઉલ્લેખનીય છે કે પંજાબના નવા મુખ્યમંત્રી ચન્નીએ જ્યારે નવા મંત્રીમંડળની રચના કરી ત્યારે તેમણે કેપ્ટનના 5 વફાદાર મંત્રીઓને પણ તેમના પદ પરથી હટાવી દીધા. સાથેજ તેમણે કેબિનેટમાં 15 નવા મંત્રીઓને પણ શામેલ કર્યા હતા. જોકે હાલ અમરિંદર સિંહ ભાજપમાં જોડાય તેવી અટકળોએ જોર પકડ્યું છે.