સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમર સિંહએ મંગળવારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને અને તેમના પરિવારની માફી માંગી છે. અમરસિંહ એક સમયે અમિતાભ બચ્ચનના ખાસ મિત્ર હતા. અમરસિંહ જ છે કે જેમણે એક સમયે અમિતાભ બચ્ચનને દેવામાંથી બહાર કાઢવા માટે મદદ કરી હતી અને જયા બચ્ચનને રાજનીતિમાં લાવ્યા હતા.
અમરસિંહે સોશિયલ મીડિયા પર માંગી માફી
અમિતાભ અને અમરસિંહની ગાઢ મિત્રતા હતી
જયા બચ્ચનને કારણે થયો વિવાદ
સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અમરસિંહ હાલ આ દિવસોમાં સિંગાપોરમાં એક હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે. અને તે જીવન મરણની વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી અમિતાભ બચ્ચન માફી માંગતો વિડીયો શેર કર્યો છે. એક સમયે અમિતાભના ખાસ મિત્ર હતા પરંતુ આવી રીતે તેમને સાર્વજનિક માફી માંગવાની જરૂર પડી? બંને વચ્ચેની દોસ્તી અને સબંધો બગડવાની કહાની ખુબ જ રસપ્રદ છે.
અમિતાભ અને અમરની દોસ્તી
90ના દાયકામાં અમિતાભ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યાં હતા. અને એક પછી એક ફ્લોપ ફિલ્મો જતી હતી અને પોતાની કંપની એબીસીએએલની નુકશાનીને કારણે આયકર વિભાગ તરફથી સતત નોટીસ મળતી હતી. તે વખતે 4 કરોડ રૂપિયા ન ચૂકવી શકતા તેમને બંગલો વેચી દેવાની અને દેવાળું જાહેર કરવાની પરિસ્થિતિ આવી. ત્યારે અમરસિંહે બચ્ચનને સહારો આપ્યો. ત્યારબાદ આ બંનેની મિત્રતા ગાઢ બની. અને દરેક જગ્યાએ આ ચર્ચાનો વિષય બન્યો.
અમરસિંહે મંગળવારે ટ્વીટ કરી જણાવ્યું કે 'આજે મારા પિતાની પુણ્યતિથિ છે અને મને અમિતાભ બચ્ચનનો મેસેજ મળ્યો. જીવનના એવા સમયે જ્યારે હું જિંદગી અને મોત વચ્ચે જીવી રહ્યો છું. હું અમિતાભ અને તેમના પરિવારની ખોટી ટિપ્પણી કરવા માટે માફી માંગુ છું.
જયા બચ્ચનને રાજનીતિમાં લાવ્યા, બચ્ચન પરિવાર સાથે વધી મિત્રતા
જયા બચ્ચન સમાજવાદી પાર્ટીની ચાર વખત સાંસદ રહી ચુકી છે. તેમને રાજનીતિમાં લાવવાનો શ્રેય અમરસિંહને આપવામાં આવ્યો છે. તે વખતે અમિતાભ બચ્ચને જયા બચ્ચનનો રાજનીતિમાં જવા માટે વિરોધ પણ કર્યો હતો. અમરસિંહે જયા બચ્ચનને રાજનીતિમાં લાવવા માટે કેટલાક લોકો સાથે દુશ્મની પણ કરી. ઓફિસ ઓફ પ્રોફિટના મામલામાં જયા બચ્ચનને રાજીનામું પણ આપવું પડ્યું. તે દરમિયાન અમરસિંહે સોનિયા ગાંધીને નેશનલ એડવાઇઝરી કાઉન્સીલના સદસ્યતાના મુદ્દાને પણ ઉછાળ્યો. જેને લઈને સોનિયા ગાંધીએ રાજીનામું પણ આપ્યું હતું.
2010માં જ્યારે અમરસિંહને પાર્ટી વિરોધી કામએ અમરસિંહને પાર્ટી બહારનો રસ્તો દેખાડી દીધો ત્યારે તે વખતે તેમણે જયા બચ્ચનને પણ પાર્ટી છોડવાનું કહ્યું હતું. પરંતુ જયા બચ્ચન પોતાના રાજનીતિક કરિયરનો અંત લાવવા માટે રાજી ન હતાં. એવું કહેવામાં આવે છે આ વિવાદ બાદ બંને વચ્ચે સબંધોમાં કડવાશ આવી હતી.
અમરસિંહ વારંવાર વિવાદિત નિવેદન આપતા હતાં
અમર સિંહ અને અમિતાભ વચ્ચે સબંધોની દુરીમાં અમરસિંહના વિવાદિત નિવેદનોનો પણ મોટો ભાગ છે. 2017માં અમરસિંહે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 'અમિતાભ બચ્ચન જ્યારે હું મળ્યો હતો એના ઘણાં સમય પહેલાથી જ અમિતાભ અને જયા બચ્ચન અલગ અલગ રહેતા હતાં. એક પ્રતીક્ષામાં રહેતા હતા જ્યારે એક જનક બંગલોમાં રહેતા હતાં. જયા બચ્ચન અને એશ્વર્યા બચ્ચન વચ્ચે ઘણો મતભેદ છે તેવી ખબરો પણ સામે આવી છે. જેમના માટે હું જવાબદાર નથી. કારણકે અમિતાભ છે જેમણે મને જયા બચ્ચનને રાજનીતિમાં લઈ જવાનો આગ્રહ કર્યો હતો.