14 માર્ચના રોજ આમલકી એકાદશી છે. જાણો આ દિવસે શું કરવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે.
14 માર્ચના રોજ છે આમલકી એકાદશી
આમળાનાં ઝાડ નીચે કરવામાં આવે છે પૂજા
ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી આપશે સુખ-સમૃદ્ધિનું વરદાન
14 માર્ચના રોજ છે આમલકી એકાદશી
દર અઠવાડિયામાં, મહિનામાં તથા વર્ષમાં અમુક દિવસો એવા હોય છે જે ધર્મ-જ્યોતિષ માટે ખૂબ જ મહત્વના હોય છે. આ દિવસોમાં દેવી-દેવતાઓથી લઈને ગ્રહોની પણ કૃપા પ્રાપ્ત થાય છે તથા વ્યક્તિને પોતાના જીવનમાંથી તમામ મુશ્કેલીઓ દૂર કરવાનો તથા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો મોકો મળે છે. ફાલ્ગુન માસના શુક્લ પક્ષની એકાદશી પણ આવો એક ક્લ્હાસ દિવસ છે. આ દિવસને આમલકી એકાદશી કહેવાય છે તથા આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માં લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ. આ વર્ષે 14 માર્ચ,2022 એટલે કે સોમવારે આમલકી એકાદશી છે.
મળે છે અઢળક ધન-સંપત્તિ
આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ - માતા લક્ષ્મી ઉપરાંત આમળાનાં વૃક્ષની પૂજા કરવામાં આવે છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી પ્રસન્ન થઈને સુખ-સમૃદ્ધિ આપે છે. ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. મહિલાઓ આ દિવસે વ્રત પણ રાખે છે. જો આ દિવસે અમુક ઉપાયો પણ કરવામાં આવે તો માં લક્ષ્મીની કૃપાથી અપાર પૈસા મળે છે.
ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી આપશે સુખ-સમૃદ્ધિનું વરદાન
આમલકી એકાદશીના દિવસે 21 તાજા પીળા ફૂલોની માળા ભગવાન વિષ્ણુને અર્પિત કરો. પૂજા બાદ તેમને દૂધથી બનેલી મીઠાઈઓનો ભોગ લગાવો. આમ કરવાથી વિષ્ણુજી પ્રસન્ન થઈને દરેક કામમાં સફળતા અપાવશે.
આમલકી એકાદશીની સવારે માં લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો તથા તેમને એકાક્ષી નારીયળ અર્પિત કરો. ત્યાર બાદ આ નારીયળ પીળા કપડામાં બાંધીને ધન સ્થાન પર મૂકી દો, થોડા જ સમયમાં આર્થિક સ્થિતિ સુધારવા લાગશે.
આમલકી એકાદશીના દિવસે આમળાનાં ઝાડની પૂજા કરો, જળ ચઢાવો, દારેક કામમાં સફળતા મળવાની પ્રાર્થના કરો. સંભવ હોય તો આ દિવસે આમળાનું સેવન કરો, આવું કરવાથી ભાગ્ય વૃદ્ધિ થાય છે.
આમલકી એકાદશી વિવાહીત્બ મહિલાઓ માટે ખૂબ જ ખાસ હોય છે. જો કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે મનમોટાવ થઇ જાય આથવા પતિને કોઈ કામમાં સફળતા ન મળી રહી હોય, તો આ દિવસે આમાળાનાં ઝાડની પત્ની પૂજા કરે અને ઝાડ પર સાતવાર સૂતનો દોરો લપેટે તથા ઘીનો દીવો કરે, તો તેમની મનોકામના પૂરી થઇ જશે.