યાત્રાધામ અંબાજી મંદિરની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોનાને લઇ ગત વર્ષ કરતા આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા મંદિરની આવકામાં 5 કરોડનો ઘટાડો થયો છે. ગત વર્ષે 5 કરોડ 59 લાખની આવક થઇ હતી જ્યારે ચાલુ વર્ષે 59 લાખની જ આવક થઇ છે.
અંબાજી મંદિરની આવકમાં ઘટાડો
ગત વર્ષ કરતા 5 કરોડનો ઘટાડો
લોકડાઉન દરમિયાન મંદિર રહ્યું હતું બંધ
યાત્રાધામ અંબાજી મંદિરની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોનાને લઇ ગત વર્ષ કરતા આવકમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા મંદિરની આવકામાં 5 કરોડનો ઘટાડો થયો છે. ગત વર્ષે 5 કરોડ 59 લાખની આવક થઇ હતી જ્યારે ચાલુ વર્ષે 59 લાખની જ આવક થઇ છે. લોકડાઉનમાં મંદિર સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવ્યુ હતુ. મહામારીને ધ્યાને લઇ મેળો પણ રદ્દ કરાયો હતો જેને પગલે શ્રદ્ધાળુની સંખ્યામાં ઘટાડો થતા દાનમા પણ ઘટાડો થયો હતો.
કોરોના વાયરસના કારણે અંબાજી મંદિર 19 માર્ચથી 8 જુન સુધી બંધ રાખવામાં આવ્યું હતું
કોરોના વાયરસના કારણે અંબાજી મંદિર 19 માર્ચથી 8 જુન સુધી બંધ રાખવામાં આવ્યું હતું. તેમજ કોરોના સંક્રમણ ટાળવા ભાદરવી પૂનમનો મેળો પણ રદ કરવામાં આવ્યો હતો. જેને લઇ અંબાજી ટ્રસ્ટની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ગત વર્ષના ભાદરવી પુનમના મેળામાં 4.64 કરોડ આવક થઇ હતી. તેની સામે ચાલુ વર્ષે અપ્રિલ, મે, જુન, જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં માત્ર 4.35 કરોડ રૃપિયા આવક નોંધાઇ છે. જેને લઇ ગત વર્ષના ભાદરવી પૂનમના સાત દિવસીય મેળા જેટલી પણ આવક છેલ્લા ૫ મહિનામાં નોંધાઈ નથી.
ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો હતો
અંબાજી મંદિરમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમનો મેળો રદ કરવામાં આવ્યો હતો. જેને લઇ વિદેશી નાણાંની આવકમાં પણ ધરખમ ઘટાડો નોંધાયો છે. જેમાં ચાલુ વર્ષે એપ્રિલ, મે, જુન, જુલાઇ અને ઓગસ્ટ એમ પાંચ મહિનામાં માત્ર 4 લાખ 25 હજાર 935 રૃપિયાની ઓનલાઇન અવાક થઇ છે. જ્યારે સોનાની અવાક થઈજ નથી.