હાલ દેશમાં ડુંગળીના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. સામાન્ય જનતા માટે હવે ડુંગળી ખરીદવી પણ કઠીન બની ગયું છે. ત્યારે કેન્દ્ર સરકારના મંત્રીઓ બાલિશ નિવેદનો આપી રહ્યા છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બાદ હવે કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ આશ્વર્યજનક નિવેદન કર્યું છે.
ડુંગળીના વધતા ભાવ મામલે તેમને પૂછતા તેમણે કહ્યું કે, હું શાકાહારી છું, મેં ડુંગળી ક્યારેય નથી ખાધી. મને ડુંગળીની કિંમતો વિશે જરા પણ ખબર નથી. પછી હું કઇ રીતે કંઇ બોલું.
ડુંગળી ખાતો નથી તો ડુંગળી વિશે કેવી રીતે બોલું
આપને જણાવી દઈએ કે, આ અગાઉ દેશના નાણા મંત્રીએ પણ આ મામલે કોઇ ગંભીર ન હોય તેવી રીતે મજાકિયા અંદાજમાં કહ્યું કે ડુંગળીની વધતી કિંમતના કારણે તેમને વ્યક્તિગત રીતે કોઇ અસર નથી પડતી. કારણ કે તેઓ ડુંગળી અને લસણ નથી આરોગતા.
#WATCH "I am a vegetarian. I have never tasted an onion. So, how will a person like me know about the situation (market prices) of onions," says Union Minister Ashwini Choubey pic.twitter.com/cubekfUrYW
સંસદમાં સાંસદે તેમને પૂછ્યું કે શું તમે ડુંગળી ખાઓ છો. ત્યારે તેના જવાબમાં નિર્મલા સીતારમણે કહ્યું કે, હું ડુંગળી અને લસણ નથી ખાતી. હું એવા પરિવારમાંથી આવું છું જ્યાં ડુંગળીની કોઇને ખાસ ચિંતા નથી. જો કે નિર્મલા સીતારણમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેમની સામે રોષ જોવા મળી રહ્યો છે.
વધતી કિંમતોને રોકવા માટે લીધા પગલાં
નિર્મલા સીતારામણે કહ્યું, હું 2014થી ડુંગળીના ભાવો પર નજર રાખતા મંત્રીઓના કેટલાક જૂથોનો ભાગ છું. જ્યારે પણ એવું થાય છે કે ડુંગળીનું ઉત્પાદન સરપ્લસ થાય છે, ત્યારે સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનની નિકાસ કરવામાં મદદ કરે છે. નાણાં પ્રધાને કહ્યું, મેં ડુંગળીની નિકાસમાં 5થી 7 ટકા સહાય પૂરી પાડવાના આદેશો આપ્યા છે.