અમે તમને રંગો સંબંધિત વાસ્તુ નિયમો જણાવવા જઈ રહ્યા છીએ, તેને બેડરૂમ માટે અપનાવીને તમે તમારા સંબંધો અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું વાતાવરણ બનાવી શકો છો. જાણો બેડરૂમ માટે રંગો સંબંધિત કઈ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તમારા બેડરૂમમાં આટલી વાતોનું રાખો ધ્યાન
આ રૂમના પડદાથી લઈને કલર પણ છે મહત્વના
જાણો વાસ્તુ અનુસાર કઈ રીતે કરશો બેડરૂમની સજાવટ
કેટલીકવાર પતિ-પત્ની વચ્ચે પરસ્પર તાલમેલ હોવા છતાં ઝઘડાઓ શરૂ થઈ જાય છે અથવા તો ઘણી વાર તેમની વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે. આની પાછળ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે, જેને દૂર ન કરવામાં આવે તો સંબંધ તૂટી શકે છે અથવા ખતમ પણ થઈ શકે છે.
વ્યક્તિ પોતાની સમસ્યાઓ પરિવારની સામે મૂકે છે, પરંતુ જો પરિવારમાં જ બધું બરાબર નથી ચાલી રહ્યું તો આનાથી વધુ ખરાબ કંઈ હોઈ શકે નહીં. આ વાસ્તુ દોષોને કારણે સંબંધોમાં સમસ્યાઓ ઉપરાંત આર્થિક સમસ્યાઓ પણ જીવનમાં આવે છે. વાસ્તવમાં વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘર અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓનું આયોજન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
લાલ રંગ ન કરાવો
કહેવાય છે કે બેડરૂમમાં એવી કોઈ વસ્તુ ન રાખવી જોઈએ જે લાલ રંગની હોય. જેમાં રૂમનો લેમ્પ, નાઇટ બલ્બ અને રૂમમાં કરવામાં આવેલ કલરનો સમાવેશ થાય છે. રૂમમાં લાલ રંગથી ગુસ્સો અને આક્રમકતા વધે છે અને આ કારણથી બેડરૂમમાં લાલ રંગનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે બેડરૂમમાં નાઈટ બલ્બનો ઉપયોગ કરવા ઈચ્છો છો, તો તેનો રંગ વાદળી પસંદ કરો.
લાઈટ કલરની પસંદગી કરો
બેડરૂમ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અહીં પણ એવા રંગ કરવા જોઈએ, જેનાથી મનને શાંતિ મળે. ઘણી વખત લોકો પોતાના ફર્નિચરના હિસાબે બેડરૂમનો રંગ પસંદ કરે છે, પરંતુ વાસ્તુ અનુસાર તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બેડરૂમમાં હંમેશા હળવા રંગોનો ઉપયોગ કરવો જોઈએ. આના કારણે નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક વાતાવરણ રહે છે. બેડરૂમમાં તમે આછો લીલો, ગુલાબી અથવા આછો વાદળી રંગ કરાવી શકો છો.
પડદાનો રંગ
બેડરૂમમાં રહેલા પડદાનો રંગ પણ સંબંધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ પડદાનો રંગ પણ આછો હોવો જોઈએ. બેડરૂમ માટે તમે સફેદ, નારંગી, ક્રીમ અથવા પીળા પડદા પસંદ કરી શકો છો. એવું માનવામાં આવે છે કે પડદાનો રંગ પણ બેડરૂમમાં સકારાત્મકતા લાવે છે અને તેના કારણે પતિ-પત્ની વચ્ચે પણ મધુરતા રહે છે, તેથી અહીં માત્ર હળવા રંગના પડદા જ લગાવો