સિને જગતના વધુ એક સુપરસ્ટાર ઋષિ કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના દુઃખદ અવસાનથી સમગ્ર બોલિવૂડથી લઈને રાજકીય નેતાઓ અને ક્રિકેટ જગતને પણ આઘાત લાગ્યો છે. 67 વર્ષની ઉંમરે કેન્સરની બીમારીને કારણે ઋષિ કપૂરનું નિધન થયું છે. ત્યારે ભારતીય ક્રિકેટ જગતના ખેલાડી તેમને આ રીતે શ્રદ્ધાજંલિ આપી રહ્યાં છે અને દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે. જાણો કોણે શું કહ્યું.
ઋષિ કપૂરના નિધનથી ભારતીય ક્રિકેટ જગત સ્તબ્ધ
સચિન, વિરાટ, સહેવાગ સહિતના ક્રિકેટરોએ ઋષિને આપી શ્રદ્ધાજંલિ
Very very sad to hear about the passing away of Rishi ji. I grew up watching his movies and he was always very gracious when we met over the years. May his soul Rest in Peace.
સચિને ટ્વિટ કરીને લખ્યું- ઋષિજીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. હું તેમની ફિલ્મો જોઈને મોટો થયો છું અને જ્યારે અમે વર્ષો બાદ મળ્યા ત્યારે પણ તેઓ ખૂબ જ હંબલ હતા. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. નીતૂ જી, રણબીર અને પૂરા કપૂર પરિવાર પ્રત્યે મારી સાંત્વના.
This is unreal and unbelievable. Yesterday Irrfan Khan and today Rishi Kapoor ji. It's hard to accept this as a legend passes away today. My condolences to the family and may his soul rest in peace 😟💔
કોહલીએ લખ્યું- વિશ્વાસ નથી થઈ રહ્યો. કાલે ઈરફાન ખાન અને આજે ઋષિ કપૂર. આ વાત સ્વીકારવી મુશ્કેલ છે કે આ દિગ્ગજ એક્ટર ના રહ્યાં. તેમના પરિવારને સાંત્વના. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.