ભારતે T20 સીરિઝની પહેલી મેચ 2 રને જીતી હતી જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ 16 રને જીત મેળવી હતી પણ સીરિઝની ત્રીજી મેચ એકતરફી રહી હતી.
ભારતે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 228 રન બનાવ્યા હતા
આ મેચમાં 13 રન વધારાના લૂંટાવ્યા હતા, જેમાંથી 11 વાઈડ હતા
બીજી ટી20માં પણ લૂંટાવ્યા હતા 12 રન
હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરીને શ્રીલંકા સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી અને ટીમ ઈન્ડિયાએ શનિવારે રાજકોટમાં રમાયેલી સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચમાં 91 રને જીત મેળવી હતી. જણાવી દઈએ કે ભારતે T20 સીરિઝની પહેલી મેચ 2 રને જીતી હતી જ્યારે બીજી મેચમાં શ્રીલંકાએ 16 રને જીત મેળવી હતી પણ સીરિઝની ત્રીજી મેચ એકતરફી રહી હતી. ભારતે મેચમાં પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 137 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.
આ T20 સીરિઝની જીત ટીમ ઈન્ડિયા માટે ઘણી અલગ અને મહત્વની હતી કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, કેએલ રાહુલ, ભુવનેશ્વર કુમાર જેવા વરિષ્ઠ ખેલાડીઓને આ સીરિઝમાં સામેલ કરવામાં આવ્યા નહતા અને આવી સ્થિતિમાં યુવા ખેલાડીઓને તક મળી અને શાનદાર પ્રદર્શન કરીને એમને જણાવી દીધું છે કે ટીમ ઈન્ડિયાનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. જો કે બોલરો, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવીએ એકંદરે મિશ્ર પ્રદર્શન કર્યું પણ મફતમાં રન આપવાની એમની મોટી નબળાઈ પણ સામે આવી છે. જણાવી દઈએ કે આ મેચમાં 13 રન વધારાના લૂંટાવ્યા હતા, જેમાંથી 11 વાઈડ હતા.
બીજી ટી20માં પણ લૂંટાવ્યા હતા 12 રન
પુણેમાં રમાયેલી મેચમાં પણ આ જ સમસ્યા જોવા મળી હતી, જ્યાં ટીમ ઈન્ડિયા એ 12 વધારાના રન ગુમાવ્યા હતા આ સાથે જ અર્શદીપ સિંહે નો બોલ ફેંકવાનો શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. જો કે રાજકોટમાં પણ તેને એક પણ નો બોલ નહતો ફેંક્યો પણ એ સામે 4 વાઈડ ફેંક્યા હતા. ઉમરાન મલિક, હાર્દિક પંડ્યાએ પણ સ્ટમ્પની બહાર બોલિંગ કરી હતી અને આ કારણે એ મેચમાં એમને શ્રીલંકાના 137માંથી 13 રન મફતમાં આપવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે સતત ત્રણ નો-બોલ ફેંક્યા બાદ ટીકાકારોના નિશાને આવતા અર્શદીપ સિંહઆ મેચમાં તેની ભરપાઈ કરી હતી. તેણે ઓપનર પથુમ નિસાંકા સહિત અગાઉની મેચના હીરો દાસુન શનાકાને પણ તેનો શિકાર બનાવ્યો હતો.
ODI સીરિઝમાં દૂર થશે સમસ્યા
જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ જેવા અનુભવી બોલરોને ભલે આ સમસ્યા ન આવે પણ યુવા ખેલાડીઓને બને તેટલી વહેલી તકે પરિસ્થિતિઓને અનુકૂળ થવું પડશે. મેચની વાત કરીએ તો લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાએ પ્રથમ વિકેટ માટે 4.5 ઓવરમાં 44 રનની ભાગીદારી કરીને મજબૂત શરૂઆત કરી હતી પણ અક્ષર પટેલે કુસલ મેન્ડિસને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. છેલ્લી મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધુ વિકેટ લેવાના ભુવનેશ્વર કુમારના ભારતીય રેકોર્ડની બરાબરી કરી. 229 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકા 16.4 ઓવરમાં 137 રન જ બનાવી શકી હતી.