કોરોનાને કારણે ગુજરાતના હાલ બેહાલ થયાં છે. હાઇકોર્ટે પણ સરકારને લૉકડાઉન અને કર્ફ્યૂના નિર્દેશ કર્યા છે. તો સુરતમાં બેડની વધુ જરૂરિયાત વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.
સુરત શહેરમાં કોરોના દર્દીઓ માટે સારા સમાચાર
72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા કામગીરી
સાંજથી કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવશે
ગુજરાતમાં ગઇકાલે 24 કલાકના 3280 નવા કોરોનાના કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. તો રાજ્ય સરકારે કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યના 20 જિલ્લાઓમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લગાવ્યો છે. ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓની સુરતમાં બેઠક યોજાઇ હતી. તેવામાં હવે સુરત શહેરમાં કોરોના દર્દીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે.
72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા કામગીરી
સુરતના અલથન કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ હોસ્પિટલ બની રહી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીએ હોસ્પિટલની કામગીરી શરૂ કરાવી છે. 200 બેડની હોસ્પિટલની નિર્માણ કામગીરી શરૂ કરાવી છે. 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા કામગીરી શરૂ કરાઇ છે. આવતીકાલે 100 બેડની સુવિધા તૈયાર કરી દેવાશે. સાંજથી કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવશે.
સુરતના અલથન કોમ્યુનિટી હોલ ખાતે કોવિડ હોસ્પિટલ બની રહી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીએ હોસ્પિટલની કામગીરી શરૂ કરાવી છે. 200 બેડની હોસ્પિટલની નિર્માણ કામગીરી શરૂ કરાવી છે. 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા કામગીરી શરૂ કરાઇ છે. #Surat#Coronaviruspic.twitter.com/ceNOQqmiKS
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 7, 2021
સુરતમાં છેલ્લા 10 દિવસમાં કેટલા કેસ?
6 એપ્રિલ- 811
5 એપ્રિલ- 788
4 એપ્રિલ-724
3 એપ્રિલ- 687
2 એપ્રિલ- 644
1 એપ્રિલ- 615
31 માર્ચ- 744
30 માર્ચ- 644
29 માર્ચ- 677
28 માર્ચ- 775
સુરતમાં ગંભીર દર્દીઓની સંખ્યા વધી
સુરતમાં કોરોનાને કારણે શહેરમાં પરિસ્થિતિ વણસી છે. ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. સિવિલ અને સ્મીમેરમાં 883 દર્દીઓ ગંભીર છે. જેમાં સિવિલમાં 694 પૈકી 609 દર્દી ગંભીર છે. જ્યારે 13 વેન્ટિલેટર, 110 બાઈપેપ, 486 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. તો સ્મીમેરમાં 289 પૈકી 274 દર્દી ગંભીર છે. 17 વેન્ટિલેટર, 50 બાઈપેપ અને 207 દર્દીઓ ઓક્સિજન પર છે.
સુરત જિલ્લા કલેક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શનની વ્યવસ્થા ગોઠવી
સુરતમાં કોરોના વાયરસ વચ્ચે મોટી જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શની વ્યવસ્થા ગોઠવી છે. સિવિલ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જથ્થો રિઝર્વ રખાશે. ખાનગી હોસ્પિટલને પડતર કિંમતે ફાળવાશે. તેમજ ખાનગી હોસ્પિટલે ઇન્જેક્શન મેળવવા ઇ-મેલ કરવાનો રહેશે. આ ઇ-મેલ [email protected] પર કરવાનો રહેશે. દર્દીના પરિવારના સભ્યોને આ ઇન્જેક્શન મળશે નહીં. અગાઉ આપેલા ઇન્જેક્શનની ખાલી બોટલ જમા કરાવાની રહેશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ?
રાજ્યમાં કોરોનાએ ચિંતા વધારી છે. રાજ્યમાં ગઇકાલે 24 કલાકના કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3280 કેસ નોંધાયા હતા. સૌથી વધુ સુરત અને અમદાવાદમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ 17,348 એક્ટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 171 લોકો વેન્ટિલેટર પર છે અને 17,177 લોકો સ્ટેબલ છે. જ્યારે કોરોનાને કારણે 17 લોકોનાં મોત થયા છે. હોસ્પિટલોની બહાર સતત એમ્બ્યુલન્સના અવાજ આવી રહ્યા છે.