ચીનને લઈને સેનાના જનરલ બિપીન રાવતે મોટું નિવદન આપ્યું. સેનાના અધ્યક્ષ બિપીન રાવતે મીડિયા સમક્ષ જણાવ્યું કે લદ્દાખમાં ચીને કોઈ જ ઘુસણખોરી કરી નથી. સાથે જ તેમણ એ પણ કહ્યું કે સમગ્ર મામલાને વ્યવસ્થિત રીતે સંભાળી લેવામાં આવ્યો છે.
Army Chief Gen Bipin Rawat on 'Chinese troop movements in Demchok': Celebrations were underway on our side by some Tibetans in Demchok sector. Based on that, to see what was happening, some Chinese also came opposite. Everything is normal. https://t.co/BBRb11VLPy
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે વાત સામે આવી હતી કે 6 જુલાઈના રોજ લદ્દાખમાં કેટલાક ચીની સૈનિકો આવી પહોંચ્યા હતા અને તે વિસ્તાર ચીનનો હોવાના દાવા સાથે ધ્વજ લહેરાવ્યા હતા. જો કે સેના અધ્યક્ષે સૂચક ટીપ્પણી કરી કે સીમા પર ચીનના સામાન્ય નાગરિકો આવ્યા હોઈ શકે છે. તેમને ચીનની સેનાએ એસકોર્ટ કર્યાની સંભાવના છે.
પણ ચીનના નાગરિક સંવેદનશીલ સીમા પાસે ચીનની સેનાની દેખરેખ વગર ન આવી શકે. એટલે હાલ તો આ મામલે ભલે શાંત પડી ગયો હોય. પણ નજીકના ભવિષ્યમાં ફરીથી આ મુદ્દો મોટો થઈ શકે છે.
શું હતો મામલો
ભારતીય સરહદમાં ચીની સેના ઘુસી છે. જમ્મૂ - કશ્મીરની લદ્દાખ સરહદે ચીની સેના ધુસી છે. 6 કિલોમીટર જેટલી ભારતીય સરહદમાં ચીની સેના ઘુસી છે. તેઓએ ભારતીય સરહદમાં ઘુસીને ચીની ઝંડા લહેરાવ્યા હતાં.