ભાજપના વિશ્વાસને સાર્થક કરવા મહેનત કરીશ : અલ્પેશ ઠાકોર
ગુજરાત ચુંટણીને લઇને આજે સત્તાધારી ભાજપ પક્ષે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુમાં 12 ઉમેદવારોને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ઉમેવદાર તરીકે અલ્પેશ ઠાકોરને ચુંટણી જંગમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે આ અવસરે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરએ VTV ન્યૂઝ સાથેની વાતચિતમાં જણાવ્યું કે મારી પસંદગી કરી તે બદલ મોવડી મંડળનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં ભાજપ નેતાઑ દ્વારા મારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. જેને સાર્થક કરવા હું પૂરેપૂરી મહેનત કરીશ. વધુમાં આપને લઇને ત્રિપાંખિયા જંગના જવાબમાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા છેલ્લા 27 વર્ષથી વિકાસની રાજનીતિને સમર્થન કરી રહી છે.
ભાજપની સ્પર્ધા ભાજપ સાથે જ છે : અલ્પેશ ઠાકોર
સુરક્ષિત ગુજરાત અને ઈમાનદાર સરકારને લોકો આવકારી રહ્યા છે. જેથી ભાજપનો જંગ કોઈની સાથે છે જ નહિ. વધુમાં ભાજપનો એક એક કાર્યકર્તાએ ભાજપની તાકાત છે. અમે વધુને વધુ લોકો સુધી પહોંચી અને સમસ્યા ઉકેલવીએ આમરી આગામી કામગીરી રહેશે. ફરી ભાજપનું કમળ ગુજરાતના ખૂણે ખૂણે ખિલશે. તેવો આશાવાદ અલ્પેશ ઠાકોરએ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેરાત બાકી
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર 4 બેઠક પરના ઉમેદવારોના નામનું એલાન કરવાનું બાકી રહ્યું છે. જેમાં માણસા, ખેરાલુ, રાવપુરા, માંજલપુર બેઠકનો સમાવેશ થાય છે.