8 એપ્રિલ 2019ના રોજ યોજાયેલા #VTVConclave2019માં અલગ અલગ મુદ્દાઓ પર મહાચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતે જોયેલા આંદોલન પર વિશેષ ચર્ચા 'ઝિંદાબાદ ઝિંદાબાદઃ કોણ આબાદ, કોણ બરબાદ?' પર કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ તેમ જ પ્રદેશ ભાજપ મંત્રી પ્રદિપસિંહ વાઘેલા હાજર રહ્યાં હતાં. આ સેશન ગરમાગરમ રહ્યું હતું જેમાં મુખ્યત્વે પાટીદાર આંદોલન અને યુવા રોજગારી મુદ્દે થયેલા આંદોલનમાં ગુજરાતે શું ગુમાવ્યું તેના પર ચર્ચા કરવામાં આવી હતી.