વધુમાં અલ્પેશે કહ્યું કે, 'મૃતક તમામ લોકો ગરીબ છે. આથી મૃતકના પરિવારને સહાયની જરૂર છે. યુવાનો નશાથી દૂર રહે. નેતાઓએ ચૂંટણીમાં દારૂ વેચવાનું બંધ કરવું પડશે. એક વખત હારે, બે વખત હારે છતાં દારૂ ન વેચાવો જોઈએ. હું પણ ચૂંટણીમાં હાર્યો છું. સારા અધિકારીઓને રાજકીય લોકો દબાવતા હોય છે.'
હું તો સાંત્વના પાઠવવા આવ્યો હતો પરંતુ કયા શબ્દોમાં સાંત્વના પાઠવું: અલ્પેશ
અલ્પેશ ઠાકોરે સંવેદના વ્યકત કરતા કહ્યું કે, 'હું તો સાંત્વના પાઠવવા આવ્યો હતો પરંતુ કયા શબ્દોમાં સાંત્વના પાઠવું એની ખબર જ નથી પડી રહી. હું જોઉં છું કે એક નાની દીકરી કે જેને એ ખબર જ નથી કે હવે તેના પપ્પા નથી રહ્યાં. એના પપ્પા કંઇક ખરીદી કરવા ગયા છે અને તેની માટે કંઇક વસ્તુ લેવા ગયા છે એમ કહીને તેને મનાવવામાં આવી રહી છે. એક પત્ની રડી રહી છે. આવાં અનેક પરિવારોમાં લોકો મોતને ભેટ્યાં છે. માત્ર એક-બે પરિવારના કારણે આજે ઘણા પરિવારોની જિંદગી બરબાદ થઇ ગઇ છે. હું એવું ઇચ્છું છું કે આવું કોઇના પણ ઘરમાં ના થાય'
નિરાધાર તમામ લોકોને વળતર મળે અને ગુનેગારો વિરૂદ્ધ ઝડપી કાર્યવાહી કરાય: અલ્પેશ
અલ્પેશે જણાવ્યું કે, 'મૃતક પામેલા પરિવારોમાં કોઇ સફાઇ કર્મચારી હતા તો કોઇ મજૂર હતા. આથી રોજ કમાઇને રોજ ખાનારો વર્ગ હતો. ત્યારે આવા નિરાધાર થયેલા પરિવારને લઇને હું રાજ્ય સરકારને એટલી જ વિનંતી કરીશ કે આ ઘટનામાં જે કોઇ ગુનેગારો છે તેમની વિરૂદ્ધ ઝડપીમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવે. ફાસ્ટ્રેક કોર્ટની અંદર કાર્યવાહી થાય. જે પણ દોષિતો હોય તે તમામની સામે કાર્યવાહી થાય અને એની સાથે આ તમામ લોકોને વળતર મળે. કારણ કે આ લોકો બિલકુલ નિરાધાર થઇ ગયા છે. કારણ કે આ લોકો ગરીબ છે, આમનો હવે કોઇ આશરો નથી એટલે.'