અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનો હવાલો આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના ભાગલા પડી ગયા છે. રાધનપુરમાં જ અલ્પેશની ઠાકોરસેનામાં ભાગલા જોવા મળી રહ્યા છે.
અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાનો હવાલો આપીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે ત્યારે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના ભાગલા પડી ગયા છે. રાધનપુરમાં જ અલ્પેશની ઠાકોરસેનામાં ભાગલા જોવા મળી રહ્યા છે. ઠાકોર સેનાના નેતા ગોવિંદ ઠાકોરે જગદીશ ઠાકોરને સમર્થન જાહેર કર્યું છે.
જગદીશ ઠાકોરની જાહેરસભામાં ગોવિંદજી ઠાકોરે જણાવ્યું કે, અમે જગદીશ ઠાકોરને દોઢ લાખ મતોથી જીતાડીશુ. અમે જગદીશ ઠાકોરને જીતાડવા સમર્થકોને કામે લાગવા આહવાન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અલ્પેશ જે ઠાકોર સમાજમાંથી આવે છે ગુજરાતમાં તેમની સંખ્યા 15થી 18 ટકા માનવામાં આવે છે. આ સમાજનું વર્ચસ્વ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ઠાકોર સમાજ લોકસભાની લગભગ ચાર બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. બનાસકાંઠાં, પાટણ અને મહેસાણા બેઠકો પર ઠાકોર સમાજ નિર્ણાયક પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત રાજ્યમાં 40 ટકા કરતાં વધારે વસતિવાળા સમગ્ર ઓબીસી વર્ગ પર ઠાકોર સમાજનો ખાસ્સો પ્રભાવ છે. ત્યારે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાં ભાગવા પડી ગયા હોવાની વાત સામે આવી રહી છે. ઠાકોર સેનાના નેતા ગોવિંદ ઠાકોરે જગદીશ ઠાકોરને સમર્થન જાહેર કરતા રાજકારણ ગરમાયું છે.