હજુ ઘણી યોજનાઓ કેટલાક લોકો સુધી નથી પહોંચી, તેણે ઘર ઘર સુધી પહોંચાડીશું, કેજરીવાલ મુંગેરીલાલના હસીન સ્વપ્ન જૂવે છે- અલ્પેશ ઠાકોર
ચૂંટણીને લઈ અલ્પેશ ઠાકોરનુ નિવેદન
નમાલી રાજનીતિ નહી કરુ
રાજ્યમાં ત્રીજો પક્ષ સફળ ન થાય
અલ્પેશ ઠાકોરની રાજનીતિ શરૂઆતથી જ હાલક-ડોલક રહી છે છે. કોંગ્રેસમાં જોડાયાના થોડા સમય બાદ જ બળવો કરી અલ્પેશે ભાજપમાં એન્ટ્રી મારી હતી. જે પછી મંત્રીપદની લાલસા હોવાનું પણ સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. 2019માં પેટાચૂંટણીમાં રઘુ દેસાઇ સામે કારમી હાર મળી હતી. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે. અલ્પેશ ઠાકોર ફરી રાધનપુર બેઠક પર સક્રિય જોવા મળી રહ્યા છે. અને બેઠકો તેમજ સામાજિક મેળાવડા કરી અત્યારથી ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ ગયા છે.આજે ગાંધીનગરમાં એક સામાજિક કાર્યક્રમની હાજરી આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે.
સંવાદ યાત્રા દરમિયાન 520 બેઠક યોજવાનો છું- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપી દીધા છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યું છે કે ક્યાં ચૂંટણી લડવી તે પાર્ટી નક્કી કરશે, તાકાતવાર લોકો ચૂંટણીમાં સફળ થશે. કારણ કે અલ્પેશ ઠાકોર નમાલી રાજનીતિ નહી કરે બાહોશ રીતે રાજનીતિ કરશે. સંવાદ યાત્રા દરમિયાન 520 બેઠક યોજવાનો છું. સરકારની યોજનાઓ કેટલાક લોકો સુધી પહોંચી નથી.વિકાસથી વંચિત લોકો માટે લડી રહ્યો છું.
કેજરીવાલ મુંગેરીલાલના હસીન સ્વપ્ન જૂવે છે- અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોર ક્યાંથી લડશે તે પાર્ટી નક્કી કરશે. પંરતુ હું એ ચોક્કસથી કહેવા માગું છું કે હું રાજનીતિ પૂરા દમખમ સાથે કરીશ. ગુજરાતની અસ્મિતા માટે કરીશ. ક્યાંય આંતરિક રોષ નથી તમે બતાવો ત્યારે ખબર પડે. રાજનીતિમાં અનેક પ્રશ્નો હોય છે અને તેનું યોગ્ય સમાધાન પણ.. હજુ ચૂંટણીની વાર ત્યાં સુધી તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. હું આક્ષેપોની રાજનીતિ કરવા નથી માંગતો. તમારે જે કઈ લોકો માટે કરવું છે તે મૂકો. કેજરીવાલનો પોતાના અલગ પોઈન્ટ ઓફ વ્યુ હશે તે ગુજરાતમાં શું કરશે તેની મને ખબર નથી. પન એ ચોક્કસથી કહી દઉ કે ગુજરાતમાં આજ દિન સુધી કોઈ ત્રીજો પક્ષ ફાવ્યો નથી. સતાના સપના જોવા લ મુંગેરીલાલના હસીન સ્વપ્ન જોવા જેવા છે. કેજવારીવાલની પાર્ટી ખાતું ખોલી શકે તો પણ સારી બાબત હશે.
2017માં શું હતુ ચિત્ર?
2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી અલ્પેશ ઠાકોરનો અંદાજે 15,000 મતથી વિજય થયો હતો. કૉંગ્રેસને 48.33 ટકા મત મળ્યા હતા અને ભાજપને 39.96 ટકા મત મળ્યા હતા. પણ 2019માં પક્ષપલટા બાદ ભાજપની ટિકિટ લઈને તે જ બેઠક પર અલ્પેશ ઠાકોરને જનતાએ પાણીચો બતાવી દીધો હતો.