અલ્પેશ ઠાકોરનાં રાજીનામાંને લઇને છેલ્લાં કેટલાંય સમયથી ચાલતી અટકળોનો આખરે અંત આવી ગયો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને અલ્પેશ ઠાકોરે પત્ર લખીને રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે. અલ્પેશ ઠાકોરે ફેસબુકનાં માધ્યમથી પોતાનાં પદનું રાજીનામું આપ્યું છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસનાં તમામ પદ પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપ્યું છે.
અલ્પેશ ઠાકોરે આ મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું કે, 'મારા માટે મારી ઠાકોર સેના સર્વોપરી છે. ઠાકોર સેનાએ મને આદેશ આપ્યો હતો. અપમાન, અવગણના અને વિશ્વાસઘાત હોય ત્યાં ન રહેવું જોઇએ. આવી પરિસ્થિતિનું નિર્માણ થશે તે મેં કલ્પના પણ કરી ન હોતી.'
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરને ઠાકોર સેનાનાં જ આગેવાનોએ અલ્ટીમેટમ આપ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ઠાકોર સેનાનાં હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં જ કોંગ્રેસનાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટેનું અલ્ટિમેટમ આપ્યું હતું.
આ મામલે બાયડનાં ધારાસભ્ય ધવલસિંહે એવો દાવો પણ કર્યો હતો કે, અલ્પેશ ઠાકોર 24 કલાકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધવલ સિંહ ઝાલાએ વધુમાં એમ કહ્યું હતું કે, પાર્ટીને અમે આગાઉ પણ રજૂઆત કરી છે પરંતુ કોઇ ચોક્કસ ઉકેલ આવ્યો નથી એટલે જો નહીં ફાવે તો રાજકારણ મુકી દઇશું.
ત્યારે મહત્વનું છે કે બીજી બાજુ બેચરાજીનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ભરત ઠાકોરે એવું નિવેદન આપ્યું હતું કે, 'કોંગ્રેસે અલ્પેશને પાટણ લોકસભા બેઠકની ઓફર કરી હતી પરંતુ અલ્પેશે ટિકિટની વાત નકારી દીધી હતી. આ ઉપરાંત તેઓએ એમ પણ કહ્યું હતું કે, અલ્પેશ આજીવન ભાજપમાં નહીં જોડાય. હજુ પણ અમે કોંગ્રેસમાં જ છીએ રાજીનામાં આપવાની કોઇ વાત જ નથી. અમારામાંથી કોઇ ભાજપમાં જોડાવાનું નથી.'