અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાના સમાચારનો મામલે આજે ખુલાસો થઈ શકે છે. આજે અલ્પેશ ઠાકોર 11 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. પ્રેસ કોન્ફરન્સ યોજી અલ્પેશ ઠાકોર સ્પષ્ટતા કરશે. મહત્વનું છે કે, ગઈકાલે અલ્પેશ ઠાકોર દિલ્લી પહોચ્યા હતા.
જ્યા અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સામે કેટલીક માગ મુકી હતી. જોકે દિલ્લીની મુલાકાત બાદ અલ્પેશ ઠાકોરે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. આમ હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે કેમ તે મુદ્દે સ્પષ્ટતા કરશે.
જો કે આજરોજ ભાજબના નેતા ઓમ માથુર રાજકોટની મુલાકાતે પહોંચ્યા છે. જ્યારે ઓમ માથુરને અલ્પેશ ઠાકોરને લઇને પ્રશ્ન પુછવામાં આવતાં મૌન સેવ્યું હતું. જો કે મળતાં અહેવાલ મુજબ અલ્પેશ ઠાકોરે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી છે.
ગત રાત્રીએ ગુપ્ત સ્થળે આ બેઠક યોજાઇ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી હતી. જો કે અલ્પેશ ઠાકોરની પત્રકાર પરિષદ બાદ આ અટકળોને અંત આવશે. જો કે કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવવાની અટકળોને રદિયો આપ્યો હતો.