ભાજપ માટે રાધનપુર બેઠકનું કોકડું અંતે ઉકેલાયું છે. ઘણાં લાંબા સમયથી જે બેઠક માટે અલ્પેશ ઠાકોર ગૃપ અને અન્ય ગૃપ વચ્ચે ભાજપમાંથી ટિકિટ લેવા માટે આંતરિક માથાકુટ ચાલતી હતી તેનો અંત થયો છે. અલ્પેશ ઠાકોરે VTV સાથે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું કે મારી ટિકિટ રાધનપુરથી ફાઈનલ છે. હું 30મીએ ભાજપના મેન્ડેટ પરથી ફોર્મ ભરીશ.
રાધનપુર બેઠક માટે ભાજપમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોર જુથ વચ્ચે ઘણા આંતરિક વિખવાદ ચાલી રહ્યો હતો. જે અંગે ભાજપ મોવડી મંડળ પણ ભારે અવઢવમાં મુકાયું હતું. પરંતુ આ બધી જ વાતો આજે અંત આવ્યો છે. અલ્પેશ ઠાકોરે ટેલિફોનિક વાતચીતમાં સ્વીકાર્યું કે હા હું રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ. આ સાથે 30મીએ ફોર્મ ભરવાનો છું.