રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે અને કોંગ્રેસને મળેલી હારની જવાબદાર કોંગ્રેસના નેતૃત્વને ઠેરવી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રસેમાં નેતૃત્વનો અભાવ છે, સાથો સાથ કોંગ્રેસમાં ઈમાનદારીનો પણ અભાવ છે.
અલ્પેશ ઠાકોરે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ધારાસભ્યોની વિરૂદ્ધ કામ કરી રહી છે. એક બે નહીં પણ કોંગ્રેસના 15થી 17 જેટલા ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડશે. આમ અલ્પેશે દાવો કર્યો કે કોંગ્રેસમાં અડધાથી પણ વધારે ધારાસભ્યો પાર્ટીથી નારાજ છે.
અલ્પેશ ઠાકોરે એવું પણ કહ્યું કે, કોંગ્રેસમાં જો આવું જ ચાલ્યા કરશે તો કોંગ્રેસ 2022માં પણ જીતી શકશે નહીં. કારણ કે, કોંગ્રેસમાં દરેક લોકો પરેશાન છે. જો આવું ચાલ્યા કરશે તો આગામી 10 વર્ષમાં પણ કોંગ્રેસ ઉપર આવી શકશે નહીં. આમ અલ્પેશ ઠાકોરે ભાજપ અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહની આગેવાનીના પણ વખાણ કર્યા. જો કે આ બાબતે CM રૂપાણીએ કહ્યું કે, અલ્પેશ ઠાકોર મુદ્દે કંઇ કહેવા જેવું નથી.