ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ઊંઝામાં જીતવા માટે પાટીદારોના સાથ-સહકારની જરૂર છે. પાસના સંગઠનના સહકાર વિના જીતવું અશક્ય છે. લોકોના સહકાર વિના કોઇ જીતી શકતું નથી. સમાજ સાથે ગદ્દારી કરનારને લોકો મતદાનથી જવાબ આપશે. તેમણે કહ્યું કે લોકસભાની ટિકિટ માટે નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે.
આ મામલે હાર્દિક પટેલે પણ નિવેદન આપ્યું હતું. તેમણે આશાબેન પર પ્રહાર કરતા કહ્યું કે અંગત સ્વાર્થ માટે આશાબેને રાજીનામું આપ્યું છે. APMCના રાજકારણને કારણે રાજીનામું આપ્યું છે.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષો પોતાની સંગઠન શક્તિ વધારવા કમરકસી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં જાણે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અલ્પેશ ઠાકોરની નારાજગી ખાળવાની કવાયત હજુ તો પૂરી નથી થઈ ત્યાં ઉત્તરગુજરામાંથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ઉંજા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા કોંગ્રસ પાર્ટી વિમાસણમાં મુકાયો છે.