ખોડલધામ ખાતે PAAS આગેવાન, નરેશ પટેલ વચ્ચેની એક કલાક ચાલેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાટીદાર આંદોલનના કેસ પાછા ખેંચવાને લઈ થઈ ચર્ચા
ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક
પાટીદાર આંદોલનના કેસ બાબતે થઈ ચર્ચા
જિલ્લા,તાલુકા કક્ષાએ રજૂઆત કરાશે
ખોડલધામમાં પાટીદાર આગેવાનોની બેઠક પૂર્ણ
હાર્દિક પટેલે પાટીદાર આંદોલન સમયેના કેસ 23 માર્ચ સુધીમાં પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે આજે ખોડલધામ ખાતે PAAS આગેવાન અને નરેશ પટેલ વચ્ચેની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા, ધાર્મિક માલવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. એક કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પણ પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવાને લઈ ચર્ચા થઈ હતી.
મીટિંગ બાદ અલ્પેશ કથીરિયાએ આપ્યું મોટું નિવેદન
બેઠક બાદ PAASના અલ્પેશ કથીરિયાએ નિવેદન કરતાં જણાવ્યુ હતુ કે,બેઠકમાં આંદોલન દરમિયાન શહિદ થયેલા પરિવારજનોને નોકરી આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ જ્યારે નરેશ પટેલ અને અન્ય આગેવાનો દ્વારા સરકાર સાથે થયેલી ચર્ચામાં 3 મહિનામં કેસ પરત ખેંચવા આશ્વાસન અપાયુ હતુ. પરંતુ હવે કેસ પરત નથી ખેંચાયા ત્યારે આગામી સમયમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્રો સોંપવામાં આવશે, એમ પણ કથીરિયાએ કહ્યુ હતુ. આ મુદ્દે જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે તેમજ સત્તામાં બેઠેલા પક્ષના નેતાઓને ગુલાબ આપવામાં આવશે.