પીયુષ ગોયલે કહ્યું,ભારતે સૌથી પહેલા તેના નાગરિકોને યુક્રેન બહાર કાઢ્યાં
ભારતની સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને પણ પાછા લાવ્યાં
યુક્રેન યુદ્ધમાં ભારતીયોને બચાવવા માટે તથા સહિસલામત ઘરવાપસી માટે સરકારે શું કર્યું તેને લઈને કેન્દ્રીય મંત્રી ગોયલે પ્રેસ કોન્ફરન્સમાં મોટી માહિતી આપી છે. મીડિયા સાથે વાતચીત કરતા કેન્દ્રીય મંત્રી ગોયેલે કહ્યું કે મને લાગે છે કે બીજા કોઈ દેશનો એવો દાખલો ધ્યાનમાં નથી કે જેણે આટલી ગંભીરતાથી નાગરિકોને ઘેર લાવવાનું કામ કર્યું હોય. મોટા મોટા દેશ પણ નિષ્ફળ રહ્યાં છે. ચીને 5 તારીખે પહેલી વાર લોકોને કાઢ્યાં. તેમણે કહ્યું કે પીએમ મોદીએ 11 વાર વૈશ્વિક નેતાઓ સાથે વાત કરી છે. પીએમે રશિયા અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે પણ 2-3 વાર ચર્ચા કરી છે.
GoI issued advisory on 15th Feb, thereafter we issued two more advisories. 4,000 people came before war broke out, more could have come. Neither students took advisory seriously nor their universities permitted them to leave Ukraine: Union min Piyush Goyal on #OperationGangapic.twitter.com/j7UAXPFxcc
વિદ્યાર્થીઓએ ભારત સરકારની સલાહને ગંભીરતાથી લીધી ન હતી: પીયૂષ ગોયલ
ગોયલે કહ્યું કે ભારત સરકારે 15 ફેબ્રુઆરીએ એક એડવાઈઝરી જારી કરી હતી અને ત્યાર બાદ વધુ બે એડવાઈઝરી જારી કરવામાં આવી હતી. યુદ્ધ શરૂ થાય તે પહેલા અમે 4000 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સક્ષમ હતા જ્યારે કેટલાક વધુ વિદ્યાર્થીઓ આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે બાકીના વિદ્યાર્થીઓ કે તેમની યુનિવર્સિટીએ આ સલાહને ગંભીરતાથી લીધી નથી અને વિદ્યાર્થીઓને યુક્રેન છોડવાની મંજૂરી આપી નથી.
Our party's workers approached families of 18.5 thousand students who were stranded in Ukraine. They met the family members and sent their grievances to the central government: Union minister Piyush Goyal pic.twitter.com/yA4L7hNvap
ભારતની સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકોને પણ પાછા લાવ્યાં
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે નાગરિક ઉડ્ડયન અને ભારતીય વાયુસેનાના વિમાનો મોકલીને ફસાયેલા લોકોને પરત લાવવામાં યોગદાન આપ્યું છે. અમે પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશના બાળકોને સાથે લાવવામાં પણ સફળ રહ્યા છીએ. વિદ્યાર્થીઓએ પણ જણાવ્યું કે અન્ય ઘણા દેશોના બાળકો ભારતનો ત્રિરંગો બહાર કાઢવામાં સફળ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીના મતે ભારતે કયું કામ કર્યું જે બીજો દેશ ન કરી શક્યો
કેન્દ્રીય મંત્રી ગોયલની જાહેરાત અનુસાર, ભારતે ખાલી ભારતીયોને જ નહીં પરંતુ પાકિસ્તાની અને બાંગ્લાદેશના નાગરિકોને પણ યુક્રેનમાંથી કાઢ્યાં છે. મંત્રીએ કહ્યું કે બીજો કોઈ પણ દેશ આ કામ કરી શક્યો નથી.એકમાત્ર ભારતે આ કામ કરી દેખાડ્યું છે.