પૂર્વ CBI ડિરેક્ટર આલોક વર્માની મુશ્કેલીઓ હાલ ઓછી થાય તેમ નથી. જેનું મુખ્ય કારણ છે કે CVCએ આલોક વર્મા વિરુદ્ધ 6 આરોપો પર તપાસ શરૂ કરી દીધી છે.
આ આરોપોમાં PNB કૌભાંડના આરોપી નિરવ મોદી વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરન વિરુદ્ધ લુકઆઉટ નોટિસના આંતિરક ઈમેઈલ લીક કરવાનો આરોપ છે. નવા આરોપો અંગે CVCએ સરકારને જાણકારી આપી છે.
જે મામલે ગત વર્ષે 12 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં વર્માના તપાસ રિપોર્ટ દાખલ કરવા બાદ ભ્રષ્ટાચાર વિરોધી ટીમ દ્વારા ફરિયાદો મળી હતી. આલોક વર્મા વિરુદ્ધ CBIના વિશેશ ડિરેક્ટર રાકેશ અસ્થાનાએ લગાવેલા 10 આરોપો પર તપાસના આધારે રિપોર્ટમાં કહેવાયું કે આલોક વર્માની પૂછપરછ કરવી જોઈએ.
આ મામલે વિજય માલ્યા સંબંધિત તમામ મામલાઓના દસ્તાવેજ સોંપવામાં આવ્યા છે. આલોક વર્મા પર આરોપ છે કે નિરવ મોદી વિજય માલ્યા અને એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરન વિરુદ્ધ જે લુકઆઉટ નોટિસ જાહેર થઈ હતી આ નોટિસને નબળી પાડી.
જેથી આ તમામ આરોપીઓ દેશ છોડીને ફરાર થવામાં સફળ થયા હતા. આ ઉપરાંત પણ આલોક વર્મા પર અનેક આરોપો છે..તે મામલે પણ તપાસ ચાલી રહી છે.