રોજ સવારે ખાલી પેટ એલોવેરા જ્યૂસનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદાઓ મળે છે. જાણો કઈ રીતે એલોવેરા જ્યૂસ બનાવવો અને ક્યા તે ક્યા પ્રકારે ફાયદાકારક છે
એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક
એલોવેરા જ્યૂસ બનાવવાની રીત
ઘણી તકલીફોથી અપાવે છે રાહત
એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક
એલોવેરા જ્યૂસમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. આ કેલ્શિયમ, પોટેશિયમ, ઝિંક, સોડિયમ, ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આ ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તમે સવારે ખાલી પેટ તેનું સેવન કરી શકો છો. આ તમને સ્કીન સંબંધિત સમસ્યાઓ, કબજીયાત અને સાંધાનાં દુખાવામાં રાહત અપાવવાનું કામ કરે છે. તમે એલોવેરા જ્યુસને સરળતાથી ઘર પર પણ બનાવી શકો છો. એલોવેરા જ્યુસ ઉનાળામાં શરીરમાં ગરમીના ઈલાજ માટે ફાયદાકારક છે. જાણો કેવી રીતે બનાવશું એલોવેરા જ્યુસ.
એલોવેરા જ્યૂસ બનાવવાની રીત
એલોવેરા જ્યુસ બનાવવા માટે તમારે એલોવેરા જેલ, પાણી, મધ, લીંબુનાં રસની જરૂર પડશે. મિક્સરમાં એલોવેરા જેલ અને પાણી લો. તેને બ્લેન્ડ કરો. હવે તેને ગ્લાસમાં કાઢી લો. તેમાં સ્વાદાનુસાર મધ અને લીંબુનો રસ મેળવીને તેનું સેવન કરો.
માથામાં દુખાવાથી રાહત
આજકાલની ભાગદોડ ભરેલ લાઈફમાં માથાનો દુખાવો એ એક સામાન્ય સમસ્યા છે. એલોવેરા જ્યુસને ખાલી પેટ લેવાથી શરીરને ઠંડક મળે છે, જેથી માથાના દુખાવામાં પણ રાહત મળે છે.
ટોક્સીનને શરીરથી રાખે છે દૂર
સમય-સમય પર પોતાના શરીરને ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. એલોવેરા જ્યુસ શરીરમાંથી ટોક્સીન કાઢવામાં મદદ કરે છે. આ સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આમ કરવાથી શરીર અને સ્કીન હેલ્ધી રહે છે.
લોહીની અછત થશે દૂર
ખાલી પેટ એલોવેરા જ્યુસનું સેવન કરવાથી લાલ રક્તની કોશિકાઓની સંખ્યામાં વૃદ્ધિ થાય છે. જે એનીમિયાને દૂર રાખવામાં મદદ કરે છે. એનીમિયા દરમિયાન, શરીરમાં લાલ રક્ત કોશિકાઓની સંખ્યા કે હિમોગ્લોબીનની માત્ર ઓછી થઇ જાય છે. એલોવેરા જ્યુસ થાક અને માથાના દુખાવામાં મદદરૂપ છે.
કબજીયાત કરે છે દૂર
એલોવેરા જ્યુસ કબજીયાતની સનાસ્યાથી પણ રાહત અપાવવાનું કામ કરે છે અને પાચનતંત્રને સાફ રાખે છે.
વિટામિન સી
એલોવેરામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘણી વાર વિટામિન સીની અછતને કારણે દાઢમાં લોહી આવવું, નબળાઈ, થાક અને અન્ય બીમારીઓ થાય છે.
સ્કીન અને વાળ માટે ફાયદાકારક
એલોવેરા જ્યુસ સ્કીન અને વાળ માટે ફાયદાકારક છે. ઘાના બ્યૂટી એક્સપર્ટ એલોવેરાને ફેસ તથા હેર માસ્કનાં રૂપમાં લગાવવાની સલાહ આપે છે. આ ચહેરા પરથી ડાઘ દૂર કરે છે અને સ્કીન પર ગ્લો લાવવામાં મદદ કરે છે. આ વાળને પણ મજબૂત બનાવે છે અને સ્કાલ્પમાં જો ખંજવાળ આવતી હોય તો તેને પણ દૂર કરે છે.