પત્ની સાથે મારપીટ કરવાનું કાયદાની વિરુદ્ધમાં હોય, પણ દેશની લગભગ અડધી વસ્તી તેને ખોટુ માનતા નથી.
NFHSના સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા
પત્ની સાથે મારપીટ કરવાના બાબતે શું છે દેશની વિચારસરણી
મહિલા સાથેની હિંસા પર આવ્યા આંકડા
પત્ની સાથે મારપીટ કરવાનું કાયદાની વિરુદ્ધમાં હોય, પણ દેશની લગભગ અડધી વસ્તી તેને ખોટુ માનતા નથી. સમગ્ર દેશમાં 45 ટકા મહિલાઓ અને 44 ટકા પુરુષોનું માનવું છે કે, જો પત્નીઓ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતી ન હોય તો, તેની સાથે શારીરિક હિંસા કરી શકાય છે. કર્ણાટકમાં 3/4થી વધારે મહિલાઓ અને 80 ટકાથી વધારે પુરુષો તેમાં કંઈ ખોટુ નથી માનતા. આ ચોંકાવનારો ખુલાસો નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના હાલના રિપોર્ટમાં સામે આવ્યો છે.
નાની નાની બાબતોમાં પણ મહિલાને મારવી જોઈએ તેવું માને છે પબ્લિક
NFHSના સર્વેમાં જણાવે છે કે, નાની નાની વાતો જેમ કે, પતિને બતાવ્યા વિના ઘરથી બહાર જવું, સારી રીતે ખાવાનું ન બનાવવું, સેક્સ કરવાની ના પાડવી, સાસરિયા પક્ષનું સન્માન ન કરવું, અન્ય પુરુષો સાથે સંબંધનો શક જેવી બાબતોને લઈને પત્નીને મારવામાં જરાં પણ ખોટુ નથી તેવું માને છે. આંકડામાં જણાવે છે કે, સર્વે દરમિયાન લગભગ 11 ટકા મહિલાઓ અને 9.7 ટકા પુરુષોએ સ્વિકાર કર્યો છે કે, સેક્સ કરવાની ના પાડવાથી પત્નીને મારવી જોઈએ.
આ બાબતોનો પણ થાય છે સમાવેશ
સર્વેના હવાલો આપતા જણાવીએ છીએ કે, સૌથી વધારે 32 ટકા મહિલાઓ અને 31 ટકા પુરુષો માને છે કે, સાસરિયામાં સાસુ-સસરા અને પતિને યોગ્ય સન્માન ન આપવા પર ઘરવાળીને મારવી તે યોગ્ય છે. 28 ટકા મહિલાઓ અને 22 ટકા પુરુષોનું માનવું છે કે, જો ઘર અને બાળકોની યોગ્ય રીતે દેખરેખ ન કરવામાં આવે તો, તેને મારવી જોઈએ. પતિ સાથે ઝઘડામાં 22 ટકા મહિલાઓ અને 20 ટકા પુરુષો યોગ્ય માને છે. ગેરકાયદેસર સંબંધ પર શંકા કરવા પર ઘરવાળીને મારવામાં 20 મહિલાઓ અને 23 ટકા પુરુષો યોગ્ય માને છે.
દક્ષિણ ભારતમાં આ પ્રમાણ વધું
સર્વે જણાવે છે કે, દેશના બાકીના ભાગની સરખામણીએ દક્ષિણ ભારતમાં પત્નીઓને મારવાનું યોગ્ય માનનારા સંખ્યા વધારે છે. તેલંગણામાં સૌથી વધારે 83.3 ટકા મહિલાઓ અને 70.8 ટકા પુરુષો ઘરવાળી સાથે હિંસામાં કંઈ ખોટુ માનતા નથી. ત્યાર બાદ આંધ્ર પ્રદેશમાં 83.6 ટકા મહિલાઓ અને 66.5 ટકા પુરુષો પણ આવું જ માને છે. તમિલનાડૂમાં આવી વિચારધારા ધરાવતા 78.3 ટકા મહિલાઓ અને 56.2 ટકા પુરુષ છે.