હિમપ્રપાતની ઝપેટમાં આવતા ક્ષેત્રને ચોરાબાડી ગ્લેશિયર કેચમેન્ટ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થાન કેદારનાથ મંદિર પરિસરથી 5 કિલોમીટર દૂર સ્થિત છે. આ હિમપ્રપાતમાં જાન-માલના નુકસાનની કોઈ ખબર નથી.
કેદારનાથ ધામમાં હિમપ્રપાતનો ભયાનક નજારો જોવા મળ્યો
હિમપ્રપાતમાં જાન-માલના નુકસાનની કોઈ ખબર નથી
મંદિરની પાછળ સ્થિત પહાડ પરથી બરફ નીચે ધસી રહ્યો છે
પહાડ બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો
અધિકારી સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. મહત્વનું છે કે કેદારનાથ ઘાટીમાં છેલ્લાં થોડા દિવસોથી હવામાન ખૂબ ખરાબ છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. પવિત્ર કેદારનાથ મંદિરની આજુબાજુના પહાડમાં ગુરૂવારે સાંજે 6:30 વાગ્યાની નજીક હિમપ્રપાત થયુ. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળ્યું છે કે મંદિરની પાછળ સ્થિત પહાડ પરથી બરફ ઝડપથી નીચે આવી રહ્યો છે. જોતજોતામાં ભૂરો પહાડ બરફની સફેદ ચાદરમાં ઢંકાઈ જાય છે.
2013માં ઉત્તરાખંડમાં ભારે વરસાદ થયો હતો
આ એ હિમાલયનુ બરફથી ઢંકાયેલુ તળાવ છે, જે 2013માં વધી રહ્યું હતુ અને આધુનિક સમયમાં ઉત્તરાખંડમાં સૌથી વધુ વિનાશકારી પૂરનુ કારણ બન્યુ હતુ. જૂન 2013માં ઉત્તરાખંડમાં અસામાન્ય વરસાદ થયો હતો. જેનાથી ચોરાબાડી ગ્લેશિયર પિગળી ગયુ અને મંદાકિની નદીમાં જળસ્તર વિનાશકારી સ્તરે પહોંચી ગયુ. આ ભયાનક પૂરે ઉત્તરાખંડના મોટા ભાગને પ્રભાવિત કર્યો હતો. કથિત રીતે કેદારનાથ ઘાટીમાં જાનમાલનુ સૌથી વધુ નુકસાન થયુ હતુ. હૃદય ધ્રુજાવી નાખે તેવી આ કુદરતી આફતમાં આશરે 5000થી વધુ લોકોના મોત થયા હતા. કેદારનાથ મંદિર પરિસર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જો કે, મુખ્ય મંદિરને નુકસાન થયુ ન હતુ.