એક સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકોએ 12 અઠવાડિયા સુધી દરરોજ બદામ ખાધી હોય તેમનામાં ઈન્સુલિન રજીસ્ટેન્સ ઓછુ જોવા મળે છે.
ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે બદામ
દરરોજ સેવન કરવાથી મળશે ખૂબ જ ફાયદા
ઈન્સુલિન રજીસ્ટન્સ માટે છે ફાયદાકારક
બદામ એક સુપર ફૂડ છે. આ પ્રોટીન, ફાઈબર, ઝીંક, પોટેશિયમ વિટામિન ઈ અને ઓમેગા 3 ફેટી એસિડનો સારો સોર્સ છે. બાળક હોય કે મોટા દરેક માટે બદામ ફાયદાકારક છે. તેના ઘણા ફાયદા તમે જાણતા હશે. તે પાચનતંત્રમાં ફાયદાકારક છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને બીજુ પણ ઘણુ બધુ.
ત્યાં જ એક નવી સ્ટડીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે દરરોજ બદામ ખાવાથી વજન અને બ્લડ શુગર બન્ને મેઈન્ટેઈન રહે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ 12 અઠવાડિયા સુધી દરરોજ બદામ ખાધી હોય તેમનામાં ઈન્સુલિન રજીસ્ટેન્સ ઓછુ થઈ ગયુ પેન્ક્રિયાસની એક્ટિવિટીમાં સુધારો થયો અને બ્લડ શુગર મેઈન્ટેઈન કરવામાં મદદ મળી. સંશોધકોએ એવો પણ દાવો કર્યો છે કે જે ગ્રુપને બદાન આપવામાં આવી તેમના બોડી માસ ઈન્ડેક્સ અને કમરની પહોળાઈમાં પણ કમી આવી અને કોલેસ્ટ્રોલ પણ ઓછુ થયું.
ડાયાબિટીસ કંટ્રોલ કરે છે બદામ
ચેન્નાઈના મદ્રાસ ડાયબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ અને પ્રમુખ વિશ્વનાથ મોહને પણ આ વાતથી સહમતી દર્શાની છે કે બદામ ખાતા લોકોના વજન અને શુગર બંન્નેમાં સુધાર જોવા મળ્યો છે. ડોક્ટરે કહ્યું કે જાડાયણુ દુનિયાભરમાં જોવા મળતી એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે. જાડાપણુ જ ટાઈપ ટૂ ડાયાબિટીસ જેવી બિમારીનો ખતરો વધારે છે.
એ પણ જાણીએ છીએ કે આ એક જટિસ સમસ્યા છે જે ડાયાબિટીસ સાથે જોડાયેલી છે. એવામાં અમને લાગે છે કે અમે એક સરળ સમાધાન શોધી લીધુ છે. સંશોધકોએ એ પણ જાણ્યું કે બદામ ખાતા લોકોમાં કુલ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનુ સ્તર વધતુ રહે છે. આ સ્તુળતા અને ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે યોગ્ય છે.
કઈ રીતે કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય માટે વરદાન છે?
બદામ ખાતા લોકોએ પોતાની બીટા કોશિકાઓને સારૂ કાર્ય પ્રદાન કર્યું, "આ કોષો છે જે પેન્ક્રિયાસમાં ઈન્સુલિન બને છે. તે ઉપરાંત બદાનનું સેવન શરીરના વજનમાં સુધાર, પેન્ક્રિયાસની કાર્યપ્રણાલી, ઈંસુલિન પ્રતિરોધમાં કમી અને સારા રક્ત શર્કરા હોવું એ વાતનો ઈસારો કરે છે કે બદામ કાર્ડિયોમેટાબોલિક સ્વાસ્થ્ય માટે વરદાન છે. ડોક્ટરના અનુસાર બદામ જેવા માવા એક સ્વસ્થ આહાર ઘટક છે જે હૃદય રોગના જોખમને પણ ઓછુ કરી શકે છે."
કઈ રીતે બદામનું કરશો સેવન?
ડાયાબિટીસના દર્દીને કેલેરીને બેલેન્સ રાખવા માટે દિવસમાં 6થી 8 બદામ ખાવાની સલાહ આપે છે. આખી રાત બદામને પાણીમાં પલાળીને રાખો અને સવારે તેના છીલ ઉતારીને તેને ખાઈ લો.
Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.