કંપનીએ અલ્લુને તમાકુની જાહેરાત માટે કરોડોની ઓફર કરી હતી. અલ્લુ પોતાના ચાહકો વચ્ચે કોઈ ખોટી વાતને પ્રમોટ કરવા નથી માંગતો.
ફરી એકવાર જોવા મળ્યો પુષ્પાનો સ્વેગ
અલ્લુ અર્જુને તમાકુ કંપનીની ઓફર ઠુકરાવી
તમાકુ કંપનીની બ્રાન્ડને સમર્થન આપવાની ના પાડી
સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુને પુષ્પા ફિલ્મથી કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવી લીધુ છે. મે ઝૂકેગા નહી આ ડાયલોગથી ઘર ઘરમાં ફેમસ થઇ ગયા છે. ત્યારે ફરી એકવાર અલ્લુ અર્જુને ફેન્સનું દિલ જીતી લીધુ છે. અલ્લુ અર્જુને તમાકુ કંપનીની કરોડો રુપિયાની જાહેરાત ઠુકરાવી દીધી છે. , કંપનીએ અલ્લુને કરોડો રૂપિયાની ઓફર કરી હતી. અલ્લુ પોતાના ચાહકો વચ્ચે કોઈ ખોટી વાતને પ્રમોટ કરવા નથી માંગતો. અલ્લુ પોતે તમાકુનું સેવન કરતા નથી. આ કારણોસર, તેણે તમાકુ કંપનીની બ્રાન્ડને સમર્થન આપવાની ના પાડી.
અલ્લુ ચાહકોમાં ખોટો સંદેશ આપવા માંગતો નથી
અલ્લુના નજીકના મિત્રોએ જણાવ્યું કે ફિલ્મમાં ધૂમ્રપાન ન કરવુ એ તેના હાથમાં નથી પરંતુ હા તે પ્રયાસ કરે છે કે તે તેનું સેવન ન કરે. તેનાથી બચવાનો સંદેશ પણ આપે છે. અલ્લુના નજીકના લોકોએ જણાવ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમના ચાહકો આ તમાકુની એડ જોયા પછી આવી પ્રોડક્ટ ખાવાનું શરૂ કરે, જેનાથી તેઓ આના વ્યસની બની જાય. તેઓ માને છે કે તેઓ પોતે જેનું સેવન નથી કરતા, તેનો પ્રચાર શા માટે કરે .
અજય દેવગન, શાહરૂખ ખાન પછી અક્ષય કુમાર એક પાન મસાલા એડમાં જોડાયા છે, જેને લઇને તેઓ સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થયા છે. કારણ કે અક્ષયે તેના ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ગુટખા કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઓફર કરે છે, પરંતુ તેઓ તેને સ્વીકારતા નથી.
પાન મસાલાની એડ માટે બિગ બી થયા હતા ટ્રોલ
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ પાન મસાલાનો પ્રચાર કરતા હતા. આ અંગે તેને સોશિયલ મીડિયા પર ઘણા ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ પછી, તેઓએ તેમના જન્મદિવસ પર આવી જાહેરાત છોડવાની જાહેરાત કરી હતી. તેમના વતી કહેવામાં આવ્યું હતું કે, 'જ્યારે અમિતાભ બચ્ચન આ બ્રાન્ડ સાથે સંકળાયેલા હતા, ત્યારે તેઓ જાણતા ન હતા કે તે સરોગેટ જાહેરાત હેઠળ આવે છે. અમિતાભે બ્રાન્ડ સાથેનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે અને પ્રમોશન ફી પણ પરત કરી દીધી છે.