'પુષ્પા 2'ના નિર્માતાઓએ અલ્લુ અર્જુનના બઝને જાળવી રાખવા માટે ફિલ્મનું ટીઝર ખાસ રીતે રિલીઝ કરવાની યોજના બનાવી છે.ત્યારે જાણો ક્યારે આવી શકે છે ફિલ્મનું ટીઝર
પુષ્પા 2 ને લઈને સોશિયલ મીડિયા ચર્ચા
ડિસેમ્બરમાં થઇ શકે છે ટીઝર રીલીઝ
અવતાર 2 ફિલ્મના સમયે ટીઝર આવી શકે છે
અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'એ માત્ર તેલુગુ લોકોને જ નહીં પરંતુ હિન્દી દર્શકોને પણ પ્રભાવિત કર્યા છે. અલ્લુ અર્જુનના સ્ક્રીન બ્રેકિંગ સ્વેગનો જાદુ એટલો બધો ચાલી ગયો કે તેના ડાયલોગ્સ જ ફેમસ થયા નહીં, પરંતુ ડાન્સ સ્ટેપ્સ પણ ઝડપથી કોપી કરવામાં આવ્યા. ફિલ્મના પહેલા ભાગની વાર્તા એક કલાઇમેકસ પર સમાપ્ત થઈ જ્યાંથી બીજો ભાગ શરૂ થશે. આ ફિલ્મ રિલીઝ થયાને એક વર્ષ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ચાહકોએ તેનો બીજો ભાગ વહેલામાં વહેલી તકે જોવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
'પુષ્પા'ના બીજા ભાગ માટે ચાહકો ઉત્સુક છે
અલ્લુ અર્જુનના ચાહકો 'પુષ્પા 2' સંબંધિત ક્ષણે ક્ષણે અપડેટ જાણવા આતુર છે. સ્ટાઇલિશ એક્ટર તરીકે પ્રખ્યાત અલ્લુ અર્જુન પણ ચાહકોની જિજ્ઞાસાને માન આપીને સમયાંતરે ફિલ્મની નાની-નાની વિગતો શેર કરે છે. અત્યાર સુધી માત્ર 'પુષ્પા 2'ના કેચફ્રેઝ અને સેટ પરથી અલ્લુ અર્જુનની કેટલીક તસવીરો સામે આવી છે. હવે ફિલ્મ સાથે જોડાયેલી એક એવી અપડેટ સામે આવી છે, જેને સાંભળીને ફેન્સને ડબલ ખુશી મળવાની છે.
આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા
'પુષ્પા 2' સાથે જોડાયેલા મોટા અપડેટ્સ શનિવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એવી ચર્ચા છે કે 'પુષ્પા 2'ના નિર્માતાઓએ અલ્લુ અર્જુનના બઝને જાળવી રાખવા માટે ફિલ્મનું ટીઝર ખાસ રીતે રિલીઝ કરવાની યોજના બનાવી છે. 16 ડિસેમ્બરે હોલીવુડની ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ભારતીય થિયેટરોમાં રિલીઝ થશે. રિપોર્ટ્સ અનુસાર, 'પુષ્પા 2'ના મેકર્સ આ સાથે ફિલ્મના શૂટની જાહેરાત કરવા જઈ રહ્યા છે.
પુષ્પા 2નું ટીઝર પણ લોન્ચ કરવામાં આવશે
અવતારની સાથે પુષ્પા 2નું ટીઝર પણ લોન્ચ કરવામાં આવશે. જો કે, આ અંગે સત્તાવાર સમર્થન હજુ આવ્યું નથી. પરંતુ ટ્રેડ એક્સપર્ટ્સની ચર્ચા મુજબ, 'અવતાર 2' જોવા થિયેટરોમાં પહોંચેલા દર્શકોને 'પુષ્પા 2'ની ઝલક જોવા મળશે. તમને જણાવી દઈએ કે અવતાર 2 16 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જ્યારે 17 ડિસેમ્બરે 'પુષ્પાઃ ધ રાઈઝ' રિલીઝ થયાને એક વર્ષ થશે.