બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'આનાથી સાબિત થાય છે કે...', અલ્લુ અર્જુનની ધરપકડને લઇ રાજકારણમાં ગરમાવો, કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસને લીધી આડેહાથ

અલ્લુ અર્જુનની ધરપકડ / 'આનાથી સાબિત થાય છે કે...', અલ્લુ અર્જુનની ધરપકડને લઇ રાજકારણમાં ગરમાવો, કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસને લીધી આડેહાથ

Last Updated: 10:44 AM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Allu Arjun Arrest News: સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે. ત્યારે આ મામલે રાજકારણ તેજ થઈ ગયું છે. રેલ્વે મંત્રીએ કોંગ્રેસ પર ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો.

Allu Arjun Arrest News: સંધ્યા થિયેટર કેસમાં શુક્રવારે ધરપકડ બાદ ફેમસ એક્ટર અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે. આજે સવારે તેઓ જેલમાંથી બહાર પણ આવી ગયા છે. પરંતુ હવે આ મામલે રાજનીતિ તેજ થઈ ગઈ છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) કોંગ્રેસ (Congress) પાર્ટી પર ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીનું સન્માન ન કરવાનો આરોપ લગાવ્યો છે. રેલ્વે મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પોસ્ટમાં લખ્યું, 'કોંગ્રેસને ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી માટે કોઈ સન્માન નથી અને અલ્લુ અર્જુનની ધરપકડથી તે ફરી સાબિત થઈ ગયું છે.'

તેમણે આગળ લખ્યું કે, 'સંધ્યા થિયેટરમાં થયેલી દુર્ઘટના રાજ્ય અને સ્થાનિક પ્રશાસનના નબળા મેનેજમેન્ટનો સ્પષ્ટ કિસ્સો હતો. હવે એ દોષ દૂર કરવા તેઓ આવા પબ્લિસિટી સ્ટંટમાં વ્યસ્ત છે. તેલંગાણા સરકારે સતત ફિલ્મી હસ્તીઓ પર હુમલા કરવાને બદલે અસરગ્રસ્ત લોકોની મદદ કરવી જોઈએ અને એ દિવસે વ્યવસ્થા કરનારાઓને સજા કરવી જોઈએ. એ જોવું પણ દુઃખદ છે કે કોંગ્રેસ સત્તામાં આવ્યાના એક વર્ષમાં જ આ એક સામાન્ય બાબત બની ગઈ છે.'

PROMOTIONAL 12

તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં 'પુષ્પા' સ્ટાર અલ્લુ અર્જુનને જામીન આપી દીધા હતા. એ પહેલા શુક્રવારે વહેલી સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને એક સ્થાનિક કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 'પુષ્પા-2'ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ કેસમાં, પોલીસે શુક્રવારે સવારે અભિનેતાની ધરપકડ કરીને તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તેમને ચંચલગુડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેલંગાણા હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા હતા. અલ્લુ અર્જુનના ચાહકોએ આ સમાચારથી રાહતનો શ્વાસ લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.

આ પણ વાંચો: 'હું કાયદાનું સન્માન કરું છું, પ્રેમ અને સપોર્ટ માટે દરેકનો આભાર', જેલમાંથી મુક્ત થતા જ સામે આવી અલ્લુ અર્જુનની પ્રથમ પ્રતિક્રિયા

નાસભાગમાં થયું હતું મહિલાનું મોત

'પુષ્પા 2' 5 ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું. સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતા ત્યાં પહોંચ્યા હતા, તો તેમને જોવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલી ભીડ કાબૂ બહાર જતી રહી અને નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. સાથે જ મહિલાનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે અભિનેતા પર કોઈપણ માહિતી આપ્યા વિના થિયેટર સુધી પહોંચવાનો આરોપ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ashwini Vaishnaw Attack Congress Allu Arjun Arrest case Allu Arjun Jail And Bail
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ