મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન મોદી પાસે 25 વર્ષથી ઉપરના તમામ લોકો માટે કોરોનાની રસી માટેની મંજૂરી માંગી છે.
સીએમ ઠાકરેએ પ્રધાનમંત્રી મોદીને લખ્યો પત્ર
કેન્દ્ર સરકાર 25 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની રસીની મંજૂરી આપે
મહારાષ્ટ્રમાં 45 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી અપાઈ રહી છે
મહારાષ્ટ્ર દેશનું પહેલા નંબરનું કોરોના હોટસ્પોટ રાજ્ય છે. રાજ્યમાં કોરોનાના ચેપને અટકાવવા સીએમ ઠાકરેએ એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે અને તેઓ રાજ્યના 25 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોનાની રસી અપાવવા માંગે છે પરંતુ આ માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરુર હોય છે અને તેથી સીએમ ઠાકરેએ આ કામ માટે પીએમની મંજૂરી માંગી છે.
45 વર્ષની ઉપરના તમામ લોકોને રસીની મંજૂરી આપવા બદલ સીએમ ઠાકરેએ પ્રધાનમંત્રી મોદીનો આભાર પણ માન્યો. મહારાષ્ટ્ર સીએમઓએ આ જાણકારી આપી હતી.
કોરોનાથી સામે આવ્યા રેકોર્ડબ્રેક કેસો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1 લાખથી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે, જે પહેલીવાર થયું છે, આની પહેલા એક દિવસમાં સૌથી વધુ કેસ છેલ્લે સપ્ટેમ્બર 2020માં આવ્યા હતા, જ્યારે 97 હજારથી વધુ કેસ નોંધાયા હતા, જો કે આની સાથે જ દેશની માયાનગરી ગણાતા મુંબઈમાં પણ કોરોના દિનપ્રતિદિન વધુને વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે, આજે પણ અહીં 9857 કેસ સામે આવ્યા હતા.
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 9857 નવા કેસ નોંધાયા હતા અને 21 લોકોના મોત નિપજ્યાં હતા, આખા રાજ્યની વાત કરીએ તો કાલે અહીં રેકોર્ડબ્રેક 57 હજારથી પણ વધુ કેસો નોંધાયા હતા. જો કે સાથે જ મુંબઇમાં આજે 3357 લોકો કોરોનાથી સાજા પણ થયા હતા. મહત્વનું છે કે અહીં કેસોનો ડબલિંગ રેટ હવે 40 દિવસનો થઈ ગયો છે.
કોરોનાના વધતાં કેસોની સાથે જ્યાં મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં કેસો વધી રહ્યા છે, જેની સાથે જ મુંબઈમાં પણ કેસો વધી રહ્યા છે. આજે પણ મુંબઈમાં 10 હજાર જેટલા જ કેસો આવ્યા હતા.