રાજકોટ એસ.ટી ડીવીઝનમાં બ્રેથ એન્લાઈઝર મશીનની ફાળવણી કરવામાં આવી છે. એસ.ટી બસના ડ્રાઈવર કંડકટર અને મુસાફરને ચેક કરવા માટે મશીનની ફાળવણી કરવામાં આવી છે.
રાજકોટ ડીવીઝન હેઠળ આવતા તમામ ડેપો પર બ્રેથ એનલાઇઝર મશીનનો ઉપયોગ કરી તપાસ કરવામાં આવશે. ચેકિંગ દરમિયાન જો કોઈ ડ્રાઈવર કંડકટર કે મુસાફર પીધેલી હાલતમાં જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી પોલીસને સોપવામાં આવશે.
ઉલેખ્ખનીય છે કે ગત વર્ષ દરમિયાન રાજકોટ એસ.ટી ડીવીઝન હેઠળ આવતા 9 ડેપોમાં માત્ર ૮ ડ્રાઈવર પીધેલી હાલતમાં ઝડપાયા હતા જે આંકડો આશ્ચર્યજનક છે. ત્યારે બ્રેથ એનલાઈઝર મશીનથી ચકાસણી કરતા વધુ ડ્રાઈવર કંડકટર પીધેલી હાલતમાં પકડાઈ તો નવી નહીં.