— Acharya Balkrishna (@Ach_Balkrishna) May 24, 2021
બાલકુષ્ણની ટ્વીટ
પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ ટ્વીટ કરી લખ્યુ કે આખા દેશમાં ઈસાઈ ધર્મમાં ફેરવવાના ષડયંત્ર હેઠળ બાબા રામદેવને ટારગેટ કરવામાં આવી રહ્યું છે અને યોગ તથા આયુર્વેદના બદનામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે આગળ લખ્યુ કે દેશવાસીઓ, હવે ગહેરી નિંદ્રામાંથી જાગો. નહીં તો આવનારી પેઢી તમને માફ નહીં કરે.
બાબા રામદેવના નિવેદન પર આપ્યુ સ્પષ્ટીકરણ
આ દરમિયાન આયાર્ચ બાલકૃષ્ણએ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે બાબા રામદેવ કોઈ ઉપહાસ નહોંતા કરી રહ્યા. પરંતુ ફક્ત મોર્ડન મેડિસિન છતાં ડોક્ટર્સના મોત પર દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. આચાર્ય બાલકુષ્ણએ કહ્યુ કે જેટલા પણ વૈજ્ઞાનિકો છે. તેમણે પતંજલિનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે અમારી પાસે લાખો દર્દીઓનો ડેટા છે જે કોરોનિલ લઈને સાજા થયા છે.
કોંગ્રેસના આચાર્ય બાલકૃષ્ણ પર હુમલો
આચાર્ય બાલાકૃષ્ણના ટ્વીટ પર રાજકીય પ્રતિક્રિયા ઘણી આકરી રહી. ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રવક્તા ગરિમા મેહરા દસૌનીના આયાર્ચ બાલકૃષ્ણની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવી દીધા અને તેમણે ભારતના ખાનગી મામલામાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપી દીધી. તેમણે કહ્યુ કે લાગે છે કે આચાર્ય બાલકૃષ્ણનું માનસિક દેવાળું ફુંકાઈ ગયુ છે.