બજેટઃ 2021માં શિક્ષણ ક્ષેત્રે સુધારા અને સંશોધન માટે નવા કમિશનોની પણ રચના કરવામાં આવશે
બજેટ 2021માં આરોગ્ય સેક્ટર અને ખેડૂતો માટેની મહત્વની જાહેરાત બાદ શિક્ષણ ક્ષેત્રે પણ જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે એકલવ્ય શાળાઓની જાહેરાત કરાઈ છે. તો આદિવાસી વિસ્તારમાં આ શાળાઓને ખોલવામાં આવશે. સાથે એજ્યુકેશમાં સુધારા અને સંશોધન માટે નવા કમિશનોની પણ રચના કરવામાં આવશે. વિદેશ સાથે પણ સંકલન કરીને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાના પ્રોજેકટની રચના કરાઈ છે.
શિક્ષણક્ષેત્રે સરકાર શરૂ કરશે નવા પ્રકલ્પ
પછાતવર્ગના વિદ્યાર્થીઓ માટે 758 એકલવ્ય સ્કૂલ
આદિવાસી વિસ્તારમાં ખોલવામાં આવશે એકલવ્ય સ્કૂલ
આદિવાસી વિદ્યાર્થીઓ માટે પાયાની સુવિધા મજબૂત થશે
100થી વધુ સૈનિક સ્કૂલ ખોલવામાં આવશે
ઉચ્ચ શિક્ષા માટે કમિશન બનાવાશે
હાયર એજ્યુકેશન કમિશનની રચના કરવામાં આવશે
લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવાશે
ભારત-જાપાન વચ્ચે વ્યવસાયી ટ્રેનિંગની તૈયારી
UAE સાથે પણ શૈક્ષણિક ભાગીદારી માટે પ્રયાસ
નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન માટે 50 હજાર કરોડની જાહેરાત
સ્પેશ અને કમ્યુનિકેશ ક્ષેત્રમાં સરકારની છલાંગ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સ્પેસ અને કમ્યુનિકેશન ક્ષેત્રે પણ સરકારના આગામી કાર્યોની જાહેરાત કરી છે. જેમાં ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ દ્વારા PSLV-CS51ને લોન્ચ કરશે. ગગનયાન મિશનનું માનવ રહિત પ્રથમ લોન્ચ આ વર્ષના ડિસેમ્બર સુધી કરવામાં આવશે. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેશ હેઠળ ટ્રિબ્યૂનલ બનાવવામાં આવશે. જેના મારફતે કંપનીઓના વિવાદને ટુંક સમયમાં ઉકેલવામાં આવશે.
ડિઝીટલ જનગણના
દેશની આગામી જનગણના પણ ડિઝીટલ કરવામાં આવશે. આ અંગે અગાઉ ગૃહ પ્રધાન અમિત શાહ પણ જાહેરાત કરી ચૂક્યા છે. અને તેના માટે સરકાર મોટા પ્રમાણમાં બજેટની ફાળવણી કરશે.
વીમા સેક્ટરમાં ઐતિહાસિક નિર્ણય-
એફડીઆઈ 49 ટકા વધારીને 74 ટકા કરાઈ બજેટમાં વીમા સેક્ટરની એફડીઆઈને 49 ટકા વધારીને 74 ટકા કરવામાં આવી છે. તે ઉપરાંત બજેટમાં સોલર એનર્જી કોઓપરેશન માટે રુ.1,000 કરોડ તથા રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી માટે 1500 કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી છે.
સરકારની વિનિવેશ આવક ટાર્ગેટ રુ 1.75 લાખ કરોડ નાણાપ્રધાને કહ્યું કે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોટ કરવા માટે અલગ વહિવટીતંત્રની રચના કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2021-21 માટે સરકારની વિનિવેશ આવક ટાર્ગેટ રુ 1.75 લાખ કરોડ છે.
2022માં IPOની દરખાસ્ત
2022 માં એલઆઈસીમાં આઈપીઓ લાવવાની સરકારની દરખાસ્ત 2022 માં એલઆઈસીમાં આઈપીઓ લાવવાની સરકારની દરખાસ્ત છે. નાણાપ્રધાને કહ્યું કે જાહેર ક્ષેત્રની 2 બેન્ક અને જાહેર ક્ષેત્રની એક વીમા કંપનીનું વિનિવેશન કરવાની સરકારની દરખાસ્ત છે. સરકારે તમામ નોન સ્ટ્રેટેજિક અને સ્ટ્રેટેજિક સેક્ટર્સમાં વિનિવેશ માટેની નીતિને મંજૂરી આપી છે.