સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ શીલા દીક્ષિત અને પ્રદેશ પ્રભારી પીસી ચાકો સાથે વાતચીત કર્યા બાદ ગઠબંધન પર પોતાની મહોર લગાવી દીધી છે. જો કે હજી સુધી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
દિલ્લીમાં અંતમાં કોંગ્રેસ-આપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી જોવા મળી મડાગાંઠ ઉકેલાય ગઇ હોય તેમ લાગી રહ્યું છે. બેઠકની વહેંચણીને લઇને દિલ્લી કોંગ્રેસ સંગઠનમાં અસહમતિના કારણે બંને પક્ષો વચ્ચે ગઠબંધન થઇ રહ્યું નહોતું. જો કે હવે સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારના રોજ શીલા દીક્ષિત અને પ્રદેશ પ્રભારી પીસી ચાકો સાથે વાતચીત કર્યા બાદ ગઠબંધન પર પોતાની મહોર લગાવી દીધી છે. જો કે હજી સુધી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
એક મળતાં અહેવાલ મુજબ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શીલા દીક્ષિત તેમજ ચાકો સાથે બેઠક કરી બંનેની રજૂઆત સાંભળી. આ દરમિયાન શીલા દીક્ષિતે ગઠબંધનનો વિરોધ કર્યો જ્યારે ચાકોએ જણાવ્યું કે ગઠબંધન પક્ષના હિતમાં છે અને જો આમ થશે તો સાતેય બેઠક પર જીત મળી શકશે. ગઠબંધનમાં મોડુ થવાથી લોકોમાં ખોટો સંદેશ જઇ રહ્યો છે. લોકો અટકળો લગાવી રહ્યાં છે કે કોંગ્રેસ દિલ્લીમાં ભાજપને જીતાડવા માટે કોઇ નિર્ણય લઇ રહી નથી.
આમ આ બેઠક બાદ સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 4-3ની ફોર્મ્યુલા પર પોતાની મહોર લગાવી દીધી છે. જેના હેઠળ કોંગ્રેસ 3 તેમજ આપ ચાર બેઠક પર ચૂંટણી લડશે. આ અંગેની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે. કોંગ્રેસને નવી દિલ્લી, ચાંદની ચોક બેઠક મળી શકે છે. નવી દિલ્લીથી અજય માકન અને ચાંદની ચોકથી કપિલ સિબ્બલ દાવેદાર છે.