વાતાવરણમાં ફેરફાર થવાને કારણે ઘણાં લોકોને એલર્જીની સમસ્યા વધી જાય છે. સતત છીંકો આવવી અને શરદીની સમસ્યા થઈ જાય છે. તો કેટલાક લોકોને અન્ય કેટલાક પ્રકારની એલર્જી થાય છે. શરીરમાં કેટલાક પ્રકારના વાયરસ અને બેક્ટેરિયાને કારણે પણ એલર્જી થાય છે. જે લોકોનું મેટાબોલિઝ્મ અને ઈમ્યૂન સિસ્ટમ વીક હોય એવા લોકો વધુ પરેશાન થાય છે. તો ચાલો એલર્જીથી બચવાના ઉપાય જાણી લો.
એલર્જીના લક્ષણ
નાક વહેવી અથવા બંધ થઈ જવી
નાકની સ્કિન લાલ થઈ જવી અથવા સોજો આવવો
સતત છીંકો આવવી, આંખમાં ખુજલી, લાલાશ, સોજો, બળતરા અને પાણી નીકળવું
છીંકવું, ખાંસી આવવી અને અસ્થમા કે દમનો એટેક
શરદી થવા પર નાકમાંથી પાણી વહેવું
શરીરનો દુખા, માથું અને આંખમાં ભારેપણું
નાકમાં ખુજલી કે ખારાશની સાથે હળવો દુખાવો
ગળામાં ખુજલી થવી અને ખાંસી આવવી
સ્કિન લાલ થવી અને ખુજલી આવવી
કાનમાં તકલીફ થવા પર સાંભળવાની ક્ષમતામાં કમી
મોંની આસપાસ સોજો અથવા કંઈક ગળવામાં પરેશાની
શ્વસન માર્ગ અવરોધાવું, શ્વાસ લેવામાં પરેશાની
આ રીતે એલર્જીથી બચાવના ઉપાય કરો
મોટાભાગે ધૂળથી આ સમસ્યા થાય છે. જેથી ઘરમાં વેક્યૂમ ક્લિનર હોય તો તેનો ઉપયોગ કરો.
ધૂળ અને ધૂમાળાથી દૂર રહેવું. તેના માટે ડ્રાઈવ કરતી વખતે મોં અને નાક પર રૂમાલ બાંધો, ગોગલ્સ પહેરો.
પડદાં, બેડશીટ, કાલીન અને ચાદરને ભેજથી બજાવવા સમયાંતરે તેને તડકાંમાં મૂકો.
વાળવાળા પ્રાણીઓથી દૂર રહો. પાળતુ પ્રાણીઓથી એલર્જી હોય તો તેને ઘરમાં રાખવા નહીં.
એલર્જીની સમસ્યા વધે તો ડોક્ટરની સલાહ લો.
વિટામિન સીવાળા ખોરાક જેમ કે નારંગી, લીંબુ વગેરે ખાવાથી સોજો અને એલર્જીની સમસ્યા દૂર થાય છે.
એલર્જિક રાઈનાઈટિસને ઓછું કરવા વિટામિન સી સિવાય વિટામિન ઈ અને ફિશ ઓઈલનો ઉપયોગ કરવો.