Team VTV01:47 PM, 09 Dec 21
| Updated: 01:48 PM, 09 Dec 21
મ્યાનમારમાં સૈન્ય વારંવાર માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તાજેતરમાં નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવી રહ્યા એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
મ્યાનમારની સેનાની સરમુખત્યારશાહી વધી રહી છે
મ્યાનમારની સેનાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે
જેમાં મ્યાનમારનું સૈન્ય માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે
મ્યાનમારની સેનાની સરમુખત્યારશાહી વધી રહી છે
લોકતંત્રમાં સમર્થકોને બંદૂકના જોરે કચડી રહેલી મ્યાનમારની સેનાની સરમુખત્યારશાહી વધી રહી છે. રિપોર્ટ અનુસાર આ વખતે મ્યાનમારની સેનાએ ગ્રામીણો પર તબાહી મચાવી છે. કહેવામાં આવી રહ્યું છે. કે, મ્યાનમારની સેનાએ પાંચ બાળકો સહિત 11 ગ્રામવાસીઓને જીવતા સળગાવી દીધા છે. મંગળવારે સોશિયલ મીડિયા પર મ્યાનમારના ઉત્તર-પશ્ચિમ સાગાઈંગ પ્રદેશના ડોન તવ ગામમાં સળગેલી લાશોની તસવીરો અને વિડીયો વાયરલ થયા બાદ આ ઘટના સામે આવી છે
આ ઘટનાનો એક વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો
આ ઘટનો એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો માણસોને ગોળી મારીને સળગાવવામાં આવ્યાના થોડા સમય બાદ લેવામાં આવ્યો હતો, જ્યારે વીડિયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે કેટલાક પીડિતો જીવિત હોવાનું કહેવાય છે. 1 ફેબ્રુઆરીના બળવાથી, આ પ્રદેશમાં લશ્કરી શાસનના વિરોધીઓ દ્વારા સ્થાપિત જન્ટા દળો અને લશ્કરો વચ્ચે ભીષણ લડાઈ જોવા મળી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેનાએ પહેલા કેટલાક ગામલોકોને એકઠા કર્યા, પછી તેમના હાથ બાંધ્યા અને પછી આગ લગાવી.
આ મામલે સંયુક્ત રાષ્ટ્રે ગંભીર ચિંતા વ્યક્ત કરી
યુએનના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે 11 લોકોની હત્યાના અહેવાલો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને આવી હિંસાની સખત નિંદા કરતા કહ્યું હતું કે "વિશ્વસનીય અહેવાલો દર્શાવે છે કે માર્યા ગયેલાઓમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે."