રાજકોટમાં ભૂમાફિયાઓનું કથિત કાંડ સામે આવ્યો છે. જેમાં 46 પરિવારના પ્લોટ ભાજપ નેતા ઓળવી ગયા હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે.
રાજકોટમાં ભૂમાફિયાનું કથિત કાંડ
46 પરિવારના પ્લોટ ભાજપ નેતા ઓળવી ગયા
સોસાયટીના પ્લોટને પ્રોજેક્ટમાં મુક્યા હોવાનો આરોપ
રાજકોટમાં ભૂમાફિયાઓનું કથિત કાંડ
રાજકોટમાં ભૂમાફિયાઓનું વધુ એક કથિત કાંડ સામે આવ્યું છે. જેમાં 46 પરિવારના પ્લોટ ભાજપ નેતા ઓળવી ગયા હોવાનો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના નરેન્દ્ર સોલંકી, રાજુ બોરીચા વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તેઓએ વાવડીમાં સોસાયટીના પ્લોટને ખસેડી પ્રોજેક્ટમાં મુક્યા છે. તેમજ નવનાથ પાર્ક નામની સૂચિત સોસાયટીના પ્લોટને પ્રોજેક્ટમાં મુક્યા છે. જેને લઈને સોસાયટીના રહીશોએ કલેકટર સમક્ષ પરિવારોએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.
અગાઉ પોલીસ કમિશનરને પણ પ્લોટધારકોએ અરજી આપી હતી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સ્થાનિક પ્લોટ ધારકો દ્વારા પોલીસ કમિશ્નરને પણ આ અંગેની અરજી આપવામાં આવી હતી.જેમાં જણાવ્યું હતું કે, આ મામલે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં જમીન બિનખેતી કરી પ્રોજેક્ટ મુક્યા હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ પ્લોટધારકો સરકાર પાસે ન્યાયની કરી રહ્યા છે માંગ કરી રહ્યાં છે.