જામનગરઃ સૌરાષ્ટ્રના ધારાસભ્ય વિક્રમ માડમની નારાજગીની ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. આ મામલે વિક્રમ માડમે સ્પષ્ટતા કરી છે કે પાર્ટીમાં ક્યારેય નારાજગી નથી હોતી. અમારી વચ્ચે પ્રશ્નો હોય છે. પ્રશ્નોના નિરાકરણ વિશે પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે.
આ મામલે નિરાકરણ નહીં એવે તો ઘરે બેસી જઈશું. સાથે જ તેમણે કોંગ્રેસમાં રાજીનામું આપવાના મામલે જણાવ્યુ કે પક્ષમાંથી ક્યારે પણ રાજીનામુ આપી શકુ છું. પરંતુ ક્યારેય પણ ભાજપમાં નહી જોડવું.
આ ઓડિયો ક્લિપમાં કોંગ્રેસના કાર્યકર સાથે વિક્રમ માડમ વાતચીત કરી રહ્યા છે. આ ઓડિયો ક્લિપમાં વિક્રમ માડમે જણાવ્યુ કે પાર્ટીની હાલની સ્થિતિને લઈને તેઓ ક્યારે પણ કોંગ્રેસ પક્ષ છોડી શકે છે. કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં નહી જોડાય તેમણે તેવી પણ સ્પષ્ટતા કરી છે. આ ઉપરાંત તેમણે કોઈ અલગ પાર્ટી ન બનાવવા માટે પણ જણાવ્યુ છે.
વિક્રમ માડમે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ કર્યા છે કે કાર્યકર્તા અને પાર્ટી સારી છે પરંતુ પ્રદેશની નેતાગીરીથી તેઓ નારાજ છે. ત્યાર બાદ તેમણે કહ્યુ કે તેમની પાસે એવા સવાલ છે જેનાથી તેમને પાર્ટી કાઢી નાખશે.
ઓડીયો ક્લિપની વાતચીતઃ
કાર્યકર- શિવપરા પદાણાથી કોંગ્રેસ કાર્યકર કેતનભાઈ બોલુ છું.
વિક્રમ માડમ- આમા કોઈ ખ્યાલ નથી. હું કોઈ દિવસ ભાજપમાં જોડાવવાનો નથી. આ પાકુ છે. અત્યારે પાર્ટીમાં જે પરિસ્થિતિ ચાલે છે જેના કારણે ક્યારે પણ કોંગ્રેસ પક્ષ છોડી શકુ છું. તે બની શકે છે પરંતુ ભાજપમાં જીંદગીમાં ક્યારે પણ નહી જોડાઉં
કાર્યકર- તમે કોઈ નવી પાર્ટી બનાવશો.
વિક્રમ માડમ- હું કોઈ પાર્ટી બનાવવાનો નથી. હું રાજકરણમાં જોડાઈ રહું તે જરૂરી નથી. હું સોશિયલ વર્ક કરુ છું. રાજકારણમાં ચૂટણી લડ્યો છું. આગામી 4.5 વર્ષ સુધી ધારાસભ્ય રહેવાનો છું. પાર્ટીમાંથી રાજીનામુ આપ્યા બાદ પણ હું ધારાસભ્ય પદ પરથી રાજીનામુ નહીં આપું. 4.5 વર્ષ પછી જે પરિસ્થિતિ હશે તે જોવાશે પરંતુ ક્યારે પણ ભાજપમાં નહી જોડાઉ.
કાર્યકર- તમે રાજીનામુ આપશો તો કાર્યકરો પણ રાજીનામા આપશે.
વિક્રમ માડમ- ના હું પાર્ટીમાંથી રાજીનામુ નહી આપુ. હું પાર્ટીના પ્રદેશ પાસેથી જે સવાલ કરીશ તેના માટે મને પાર્ટીને સાચવવો પડશે. કારણ કે પાર્ટી મારા એક પણ સવાલનો જવાબ આપી નહી શકે. અને હું જે સવાલ કરીશ તેનાથી દેશને ખબર પડશે અને મારા સવાલો પણ સાચા છે. પરંતુ કઈ પણ થશે ત્યાર બાદ પણ હું ભાજપમાં નહીં જોડાઉં.
સળગતા સવાલઃ
હજુ ગુજરાત કોંગ્રેસ કેટલા નેતા ગુમાવશે ? યુવા નેચૃત્વના હાથમાં કોંગ્રેસ નવસર્જન થશે કે વિસર્જન ? કૂંવરજી બાળવિયાની ઘટના પછી પ્રદેશ કોંગ્રેસ કેમ શીખ નથી લેતી? વિક્રમ માડમ અલ્પેશ ઠાકોર રાજ્યગુરુને કેમ મનાવતી નથી કોંગ્રેસ? સિનિયર નેતાઓ કહી રહ્યા છે તો યુવા નેતાઓ કેમ નતી માનતા વાત ? શું કોંગ્રેસની યુવા નેતાગીરી ઓવર કોન્ફીડન્સમાં રાચી રહી છે ?
શું રાજીવ સાતવ અમિત ચાવડા પરેશ ધાનણી ઓવર કોન્ફીડન્સમાં છે ? નારાજગી બાબતે સિનિરય નેતાઓનું માર્ગદર્શન કેમ નથી લેવામાં આવતું. ? ભરતસિંહ શકિતસિંહ અર્જૂન મોઠવાડિયા તૂષાર ચૌધરી જેવા સિનિયર મૌન કેમ છે? કોંગ્રેસને તૂટતી બચાવવા સિનિયર નેતાઓ કેમ નથી આવતા આગળ ? પ્રદેશની યુવા ત્રિપુટી સાતવ ચાવડા ધાનાણી કોંગ્રેસનું વનસર્જન કરી શકશે ? નવસર્જનને બદલે વિસર્જન તરફ તો નથી આગળ વધી રહીને ગુજરાત કોંગ્રેસ?