બ્રિટેને મંગળવારે કહ્યું કે ભારતના બંધારણના અનુચ્છેદ 370ને હટાવાયા બાદ કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘનના કોઇપણ આરોપની 'ગંભીરતાથી, તાત્કાલિક અને પારદર્શી' તપાસ થવી જોઇએ.
બ્રિટેનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે લાંબા ગ્રીષ્માવકાશ બાદ સંસદના પહેલા સત્રમાં 'હાઉસ ઓફ કોમન્સ'માં સાંસદોને કહ્યું કે એમણે 7 ઓગસ્ટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાતચીત કરી હતી.
વાતચીત દરમિયાન એમણે ચિંતા વ્યક્ત કરી હતી અને બ્રિટેન કાશ્મીરમાં સ્થિતિ પર સાવધાનીપૂર્વક નજર રાખશે. તે મૌખિક સવાલનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન કાશ્મીર મુદ્દા સાથે જોડાયેલા ઘણા સવાલ પૂછવામાં આવ્યા.
ડોમિનિક રાબે કહ્યું કે ધરપકડ કરવી, સંભવિત દુરવ્યવહાર અને સંચાર ઠપ્પ થવા અંગેના મુદ્દા એમણે ભારતીય વિદેશ મંત્રી સાથે ઉઠાવ્યો. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે એ માત્ર અસ્થાયિ છે અને તેની જરૂરત છે. એમણે કહ્યું કે માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપ ચિંતા પેદા કરનાર છે અને તેની પૂર્ણ રીતે અને તાત્કાલિક તપાસ થવી જોઇએ. ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અનુચ્છેદ 370ને ખતમ કરવો એમનો આંતરિક મામલો છે.
મંત્રીએ આગળ કહ્યું કે કાશ્મીર વિષય ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે. જોકે, એમણે માનવાધિકારની ચિંતાઓએ તેને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવ્યો હોવા પર પણ ભાર મુક્યો.