દિલ્હીમાં કેજરીવાલ સરકારે 1000 બસની ખરીદી કરી હતી. જે મામલે તેમની પર ભ્રષ્ટાચાર આરોપ લાગ્યા હતા. જેથી હવે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે CBI તપાસના આદેશ આપ્યા છે.
કેજરીવાલ સરકાર સામે લાગ્યા ભ્રષ્ટાચરના આરોપ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે CBI તપાસની કરી માગ
1000 બસોની ખરીદી કરતા ભ્રષ્ટાચારનાં કેસમાં ફસાઈ દિલ્હી સરકાર
Ministry of Home Affairs recommends a preliminary investigation by CBI into the purchase of 1,000 low-floor buses by Delhi Govt pic.twitter.com/12MUn9nu9V
દિલ્હીમાં કેજરીવાલ સરકારે દિલ્હી પરિવહન નિગમની 1 હજાર બસ ખરીદી હતી. જે મામલે કેજરીવાલ સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. આ મામલે ગત માર્ચ મહિનામાં ભાજપ દ્વારા વિધાનસભામાં સવાલો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સીબીઆઈ તપાસની માગ
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 1000 ફલોર બસોની ખરીદી મામલે સીબીઆઈ તપાસ કરે તેવી માગ કરી છે. આ જાણકારી ગૃહમંત્રાલયના અધિકારીઓ દ્વારાજ આપવામાં આવી છે. જોકે સીબીઆઈ તપાસની માગને કારણે કેજરીવાલ સરકાર સામે મોટો પડકાર આવી ગયો છે.
APPની સામે મોટો પડકાર
દિલ્હીમાં હવે આમ આદમી પાર્ટીની તકલીફો વધી રહી છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા ત્રણ સમસ્યોની સમિતિ બનાવામાં આવી હતી. જેમણે AMCમાં પ્રક્રિયાગત ક્ષતિઓ શોધી અને તેને રદ કરવી ભલામણ કરી હતી.
વિવાદોમાં ઘેરાઈ કેજરીવાલ સરકાર
ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચરાના આરોપ મામલે હાલ દિલ્હી સરકાર ભારે વિવાદોમાં ઘેરાઈ છે. તેમા પણ CBI તપાસની માગ કરવામાં આવી છે. જેના કારણે હવે દિલ્હી સરકાર સામે મોટો પડકાર ઉભો છે. કુલ 1000 બસોની જે ખરીદી કરવામાં આવી હતી. જે મામલે કેજરીવાલ સરકાર પર વિધાનસભામાં પણ આક્ષેપો થયા હતા.