અનુરાગ ઠાકુરે મીડિયા સામે આવીને આપ્યું મોટું નિવેદન
કહ્યું કે જે યોગ્ય કાર્યવાહી હશે તે કરીશું
રમતવીરો ભારતના મોંઘામૂલા ઘરેણા ગણાય અને તેમને તેમના કામમાં કોઈ તકલીફ પડતી હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવવો જરુરી હોય છે. સરકાર પણ આ દિશામાં ગંભીર હોય છે અને તેનો વધુ એક દાખલો જોવા મળ્યો છે. કુસ્તીના દિગ્ગજ કુસ્તીબાજો સતત બીજા દિવસે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાક્ષી મલિક, વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને અન્ય અગ્રણી ખેલાડીઓ કુસ્તી ફેડરેશનના પ્રમુખને હાંકી કાઢવા પર અડગ છે. ખેલાડીઓએ પ્રમુખ બૃજભૂષણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપ કર્યાં છે. ખેલાડીઓ આજે ખેલ મંત્રાલયના સચિવ અને અધિકારીઓને મળ્યાં હતા જે પછી પહેલી વાર ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે પહેલીવાર મીડિયા સામે આવીને નિવેદન આપ્યું છે.
Delhi | Babita Phogat, Sakshee Malikkh, Bajrang Punia, Vinesh Phogat and other wrestlers arrive at the residence of Union Sports Minister Anurag Thakur in connection with their protest and allegations against WFI. pic.twitter.com/dx1dQObyk9
બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક મોડી રાતે ખેલ મંત્રી અનુરાગ ઠાકુરને તેમના નિવાસસ્થાને મળવા પહોંચ્યાં હતા. તેમણે બૃજભૂષણને હટાવવાની માગ કરી હતી.
Allegations levelled by wrestlers are serious in nature. Taking swift action, Govt of India sent a notice to WFI and sought a reply within 72 hours. I will try to meet the wrestlers after I reach Delhi. We will talk & listen to them: Union Sports Min Anurag Thakur, in Chandigarh pic.twitter.com/mNmdPyIiVR
રમતના હિતમાં જે પણ જરુરી પગલાં હશે તે ભરીશું
હાલમાં ચંદીગઢ રહેલા ખેલમંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે ચુપ્પી તોડતાં કહ્યું કે ખેલાડીઓ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખુબ જ ગંભીર છે. હું ચંદીગઢથી દિલ્હી પાછો જઈ રહ્યો છું અને ખેલાડીઓને મળીશ. હું તેમની વાત સાંભળીશ. ખેલાડીઓ અને રમતના હિતમાં જે પણ પગલાં ભરવાના હશે તે અમે લઈશું. આ આરોપોની નોંધ લઈને ખેલ મંત્રાલયે સ્પોર્ટસ ફેડરેશનને નોટિસ મોકલીને 72 કલાકમાં જવાબ માગ્યો છે. આગામી કેમ્પો પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમાં 30 પહેલવાનો જે માગ પૂરી કરવા માટે ધરણા પર બેઠા છે તે પૂરી થઈ હોવાનું લાગી રહ્યું છે. ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બૃજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવનાર પહેલવાનોએ તેમને હટાવવાની માગ સાથે ગઈકાલથી દિલ્હીના જંતર મંતર રોડ પર ધરણા વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું જેની સરકારે નોંધ લીધી હતી અને આજે ખેલ મંત્રાલયે તેમને મંત્રણા માટે બોલાવ્યાં હતા જે પછી પાંચ મુખ્ય પહેલવાન ખેલ મંત્રાલયની ઓફિસે પહોંચ્યાં હતા અને ખેલ સચિવ અને બીજા મોટા અધિકારીઓને મળીને તેમની ફરિયાદો જણાવી હતી સાથે કેટલીક માગ પણ રાખી હતી. ખેલ મંત્રાલયના અધિકારીઓએ પહેલવાનોની વાત શાંતિથી સાંભળી હતી અને તેમને ઘટતું કરવાની ખાતરી આપી હતી.
Taking cognisance of the allegations, the Sports Ministry sent a notice to WFI and sought a reply within 72 hours. The upcoming camp has also been postponed with immediate effect. I am going to Delhi and will meet the wrestlers: Union Sports Minister Anurag Thakur, in Chandigarh pic.twitter.com/QNGvdg98xz
22મીએ બૃજભૂષણ રાજીનામું આપે તેવી શક્યતા
ખેલ મંત્રાલય અને ખેલાડીઓ વચ્ચેની મુલાકાત બાદ બૃજભૂષણ સિંહ કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ રાજીનામું આપે તેવી શક્યતા છે. જો તેઓ રાજીનામું નહીં આપે તો તેમને દૂર કરવામાં આવી શકે છે. કુસ્તી એસોસિએશન ઓફ ઈન્ડિયાની કુસ્તી સમિતિની મિટિંગ તારીખ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં બોલાવવામાં આવી છે, જેમાં બ્રિજ ભૂષણ શરણ સિંઘ પણ ઉપસ્થિત રહેશે. અહેવાલો અનુસાર આ બેઠકમાં બ્રિજ ભૂષણ શરણ સિંહ પણ સામેલ થશે. જો બ્રિજ ભૂષણ શરણ સિંઘ પોતે રાજીનામું નહીં આપે તો ફેડરેશન તેમને રાજીનામું આપવાનું કહેશે.
પહેલવાનોએ શું માગ કરી
- રેસલિંગ એસોસિએશનને બરતરફ કરવું જોઈએ.
- બ્રિજ ભૂષણ શરણ સિંહને અધ્યક્ષ પદેથી હટાવો
- જ્યાં સુધી ગુનેગારો સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલી રાખીશું
- એક્શન ન થાય ત્યાં સુધી કોઈ પણ એથ્લીટ કોઈ પણ ઈવેન્ટમાં ભાગ નહીં લે.
- ફેડરેશને ખેલાડીઓને સપોર્ટ અને સહયોગ આપવો જોઈએ.
- રમતની જરૂરિયાતોનું ધ્યાન રાખો. જો કોઈ સમસ્યા હોય તો ઉકેલ લાવો
- ખેલાડીઓ સાથે ખોટું વર્તન ન થાય તેનું ધ્યાન રાખો
બૃજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપ
ભારતીય કુસ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. બીજા પહેલવાનોએ પણ બૃજભૂષણ સિંહ વિશે અનેક ફરિયાદ કરી હતી જેમાં સિંહનું અભદ્ર વર્તન, ખેલાડીઓ સાથે ગાળાગાળી, ધાક-ધમકી સહિતના બીજા આરોપ સામેલ છે. ખેલાડીઓએ બૃજભૂષણ સિંહને હટાવવાની માગણીએ દિલ્હીમાં ધરણા શરુ કરી દીધા જે આજે પણ ચાલુ રહ્યાં છે અને આજે સરકારે ખેલાડીઓને ચર્ચા માટે બોલાવ્યાં હતા જેમાં ખેલાડીઓએ સરકારને સ્પસ્ટ કહ્યું છે કે જ્યાં સુધી બૃજભૂષણ સિંહને હટાવાશે નહીં ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.
हम एथलीटों से अनुरोध करते हैं कि वे आगे आएं और अपनी चिंताओं को हमारे सामने रखें। हम न्याय दिलाने के लिए पूरी जांच सुनिश्चित करेंगे।हमने भविष्य में उत्पन्न होने वाली ऐसी स्थितियों से निपटने के लिए एक विशेष समिति बनाने का फैसला किया है ताकि तेजी से कार्रवाई हो: IOA अध्यक्ष पीटी उषा pic.twitter.com/t38z1RJEyY