સમગ્ર દેશ અને રાજ્યને કેન્સરની જેમ ખાઇ રહ્યો છે ભ્રષ્ટાચાર. રોડ-રસ્તા, ગટર, મકાન અને ચેકડેમ સહિતના અનેક સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વધુ નફો મેળવવા માટે નબળી ગુણવતાથી બાંધકામ કરી દેવામાં આવે છે. ત્યારે કચ્છના એક ગામે પણ ચેકડેમમાં ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
કચ્છમાં સરકારી કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. અબડાસાના સણોસરા ગામના લોકોએ સરકાર સામે આક્ષેપ કર્યા હતા. અબડાસાના સણોસરા ગામે ચેકડેમ નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.
આથી VTVની ટીમે ચેકડેમની ગુણવત્તાની ચકાસણી કરી હતી. જેમાં સામાન્ય દબાણથી પણ ચેકડેમના પોપડા ઉખડી રહ્યા હતા. આમ, VTVના રિયાલીટી ચેકમાં ચેકડેમની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું.
સિંચાઇ વિભાગ દ્વારા 8 મહિના પહેલા આ ચેકડેમનું નિર્માણ કરાયુ હતું. રૂપિયા 50 લાખના ખર્ચે ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં 8 મહિના પહેલા બનેલા ચેકડેમમાં લીકેજ થયુ. આથી 2 દિવસના વરસાદથી ભરાયેલું પાણી લીકેજના કારણે વેડફાયું.
જો કે, આ સમગ્ર મામલે ગ્રામજનોની રજૂઆત છતાં પણ સિંચાઇ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. ત્યારે ગ્રામજનોએ VTVનો સંપર્ક કરતા હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી.
મહત્વનું છે કે, ગ્રામજનોએ રજૂઆત છતાં પણ સિંચાઇ વિભાગના આંખ આડા કાન કરી રહ્યું છે. ગ્રામજનોએ VTVનો સંપર્ક કરતા હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી છે.