વડોદરા પાલિકાના પાણી પુરવઠા પૂર્વ અધિકારીઓ સામે 26.50 કરોડના કૌભાંડનો આરોપ
વડોદરા પાલિકાના પાણી પુરવઠા પૂર્વ અધિકારીઓ સામે આક્ષેપ
પૂર્વ વિપક્ષ અને કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવનો આરોપ
કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાઠ કરી 26.50 કરોડનું કૌભાંડ આચર્યું - શ્રીવાસ્તવ
વડોદરામાં પાલિકાના પાણી પુરવઠાના પૂર્વ અધિકારીઓ વિરુદ્ધ આક્ષેપો થયા છે. પૂર્વ વિપક્ષ અને કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવનો આરોપો લગાવ્યા છે. પાણી પુરવઠાના પૂર્વ અધિકારીએ કરોડોનું કૌભાંડ કર્યાનો આક્ષેપ કર્યો છે.
પાણી પુરવઠાના પૂર્વ અધિકારી સામે આરોપ
પૂર્વ વિપક્ષ અને કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે પુરવઠા વિભાગના પૂર્વ અધિકારીઓ પર આક્ષેપ કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાઠ કરી 26.50 કરોડનું કૌભાંડ આચર્યું. જતિન બધેકા નામના અધિકારીએ કૌભાંડ આચર્યું. કોન્ટ્રાક્ટરે સિંધરોટ ઇન્ટેકવેલ અને પાણી પુરવઠા કામમાં કૌભાંડ કર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. વધુમાં જણાવ્યુ કે કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પુરી થઇ ગઇ હોવા છતાં દંડ કરવાને બદલે પ્રોજેક્ટની રકમ અને સમયમર્યાદા વધારી આપી. સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી કે મનપા કમિશનરની મંજૂરી ન લેવાઇ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રોજેક્ટની રકમ 165.75 કરોડ હતી પરંતુ 10 કરોડ રુપિયા વધારે આપીને 175.75 કરોડ કરવામાં આવી હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો.
શું કહે છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ?
તો સમગ્ર મામલે વડોદરા સ્ટેન્ડિંગ કમિટીના હિતેન્દ્ર પટેલે ચેરમેને આ આક્ષેપોનુ ખંડન કર્યુ હતું. તેઓએ જણાવ્યું કે પાણીનો જે પ્રોજેક્ટ છે તેની કામગીરી ચાલી રહી હતી પરંતુ કોરોનાને કારણે આ પ્રોજેક્ટમાં ડિલે થયુ છે. રસ્તામાં આવતા ગામોમાંથી પાણીની લાઇન પસાર થતી હતી ત્યાં સંપાદનની કામગીરી કરવામાં સમય વીત્યો છે. જો આ મામલે કોઇ કૌભાંડ સામે આવશે તો ચોક્કસ અમે કાર્યવાહી કરીશું. તો સામે કોંગ્રેસ કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવે ફરી આરોપ લગાવ્યો કે સિનિયર નેતાની ફરજ બને છે જો નિયત સમય મુજબ કામ ન થાય તો દંડ કરવાની ફરજ છે તેની મુદ્દત લંબાવવાનો કોઇ અધિકાર નથી.