હાથરસના વહીવટી તંત્રએ આખરે મીડિયાને પીડિતના પરિવારને મળવાની મંજૂરી આપી દીધી છે. આવામાં એવી માહિતી સામે આવી રહી છે જેમાં DM દ્વારા પીડિતના પરિવારને ધમકી તથા કેટલીક એવી વાતો કહેવામાં આવી હતી જે ચોંકાવનારી છે. પીડિતાની ભાભીએ ઘણા ઘટસ્ફોટ કર્યા છે. તેમણે કહ્યું છે કે SITની ટીમ બીજે દિવસે તેમના ઘરે આવી હતી અને પૂછપરછ કરી હતી.
હાથરસ પીડિતાના પરિવારનો આક્ષેપ
કહ્યું દીકરીનો ચહેરો જોયો હોત તો આવુ ન કહ્યું હોત
હાથરસ દુષ્કર્મની પીડિતાના પરિવારે કહ્યું છે કે, જિલ્લા DMએ તેમની સાથે અભદ્ર વાત કરી હતી. તેમણે કહ્યું, "ડીએમે કહ્યું કે જો તમારી પુત્રી કોરોનાથી મરી ગઈ હોત, તો તમને વળતર મળ્યું હોત?" પીડિતાના પરિવારે જણાવ્યું કે SIT પણ મળેલી છે અને તેમને વિશ્વાસ નથી.
રાત્રે પોલીસે કોના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો તે ખબર નથી
પીડિતાની માતા અને ભાભી બંનેની માંગ છે કે તેમને ન્યાય મળવો જોઈએ. પીડિતાની માતાએ કહ્યું છે કે તે છેલ્લી ક્ષણે પોતાની પુત્રીને માટી પણ ન આપી શકી. તેનો ચહેરો પણ જોઈ શક્યાં નહીં. પીડિતાની ભાભીએ તો એમ પણ કહ્યું કે તે દિવસે તેની નણંદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ન હતા. પોલીસે કોના અંતિમ સંસ્કાર કર્યા તે અમને ખબર નથી.
પોસ્ટમોર્ટમ પછી ડેડબોડીનું શું થાય છે, ખબર છે?
પીડિતાની ભાભીએ ડીએમ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે તેમણે મૃતદેહને જોવાની માંગ કરી, ત્યારે ડીએમે કહ્યું કે પોસ્ટમોર્ટમ પછી ડેડ બોડીનું શું થાય છે તે તમે જાણો છો, તેને હથોડીથી મારવાથી હાડકાં ભાંગી જાય છે. તમે આવો મૃતદેહ જોઈ શક્યા હોત. 10 દિવસ સુધી ખાવાનું ન ખાઈ શક્યા હોત.
પીડિતાની ભાભીએ કહ્યું કે ડીએમ તેમને વારંવાર કહેતા હતા કે તમને વળતર મળી ગયું છે. તમારા ખાતામાં કેટલા પૈસા આવ્યા છે, તમે જાણો છો?
નાર્કો ટેસ્ટ નહીં કરાવે
પીડિતાની ભાભીએ કહ્યું કે તેમને બહાર નથી જવા દેવાઈ રહ્યાં. કારણ કે તેમને ડર હતો કે તેઓ મીડિયાને સત્ય બતાવી દેશે. તેમણે કહ્યું કે તેના પરિવારજનો દ્વારા નાર્કો ટેસ્ટ નહીં કરાવે. નાર્કો ટેસ્ટ DMનો થવો જોઈએ. તેમણે CBI તપાસની માંગને પણ નકારી હતી.
રાજનીતિ માટે આવી રહી છે પાર્ટીઓ
પીડિતાની ભાભીએ કહ્યું કે જે લોકો અહીં આવ્યા છે તેઓ રાજકારણ માટે આવતા હોય છે. જો આ સરકાર પડી જાય તો બીજી સરકાર બની જાય, પરંતુ રાજકારણ સાથે અમારો કોઈ મતલબ નથી. અમને બસ ન્યાય જોઈએ છે.