પોરબંદર આર્ય કન્યા ગરુકુળમાં વિદ્યાર્થિનીઓને સજાતીય સંબંધ રાખવા અન્ય વિધાર્થિનીઓ દબાણ કરતી હોવાના આક્ષેપ મામલે વાલીઓએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. કમીટીએ પણ પીડિત પરીવાર સાથે વાત કરી ફરિયાદ કરવા તજવીજ શરૂ કરી છે.
સજાતીય સંબંધ રાખવા અન્ય વિધાર્થિનીઓનો દબાણ
પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગુરુકુળ પર વિદ્યાર્થિનીઓને સજાતીય સંબંધ રાખવા અન્ય વિધાર્થિનીઓ દબાણ કરતી હોવાના આક્ષેપ થયા છે. ત્યારે આ સમગ્ર મામલો બહાર આવતા પોરબંદરમાં હોબાળો થયો છે. વિદ્યાર્થિનીઓ સાથે સજાતીય સંબંધ મામલે વાલીઓએ ચાઈલ્ડ વેલ્ફેર કમિટી પાસે રજુઆત કરી છે.
ગુરુકુળે કર્યો લૂલો બચાવ
હાલ પોરબંદરની જાણિતી આર્યકન્યા ગુરુકુળમાં વિદ્યાર્થિનીઓ સાથે અનૈતિક સબંધ રાખવા માટે અન્ય વિદ્યાર્થિનીઓ દબાણ કરતી હોવાનો મામલો ગરમાયો છે. જેને પગલે આર્ય કન્યા ગુરુકુળ દ્વારા મીડિયા સમક્ષ પોતાનો લૂલો બચાવ કર્યો છે. આ સમગ્ર ઘટના બાદ વાલીઓએ દીકરીઓને ગુરુકુળ માંથી લિવિંગ સર્ટી સાથે બહાર કાઢી લીધી છે.
પરંતુ બીજી છાત્રાઓ સાથે કોઈ ઘટના ન બને તેની ચિંતા વાલીઓ કરી રહ્યા છે. ત્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ વાલીઓ અને પીડિતાનું નિવેદન નોંધી તેના આધારે કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.